[:gj]અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ[:]

[:gj]સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે.

કપાસમાં રૂ આવે તે પહેલાં તેના જીંડવામાં ઈયળ પડી ગઈ છે. ઈડર તાલુકાના તથા હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના મગફળી, કપાસ, ડાંગર, મકાઈના છોડ પર જ તેના બિયાં ઊગી ગયાં છે. નવરાત્રી સમયે મગફળી પાકી જતી હોવાને કારણે તેને જમીનમાંથી બહાર કાઢી લે છે. આ વખતે વરસાદ નવરાત્રીમાં ચાલુ રહેતાં અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં પાક પણ નિષ્ફળ ગયો છે.
સાબરકાંઠામાં 8 હજાર હેક્ટરમાં મકાઈ અને અડદના પાકને નુકસાન છે, ઘણી જગ્યાએ છોડમાં દાણા ઊગી ગયા છે. વિજયનગર અને પોશીના તાલુકામાં માટીની નીચે ખડકો હોવાથી સતત વરસાદને કારણે જમીનમાંથી પાણી ફૂટી ગયું છે, જેને કારણે મકાઈના પાકમાં ડોડા ફૂટ્યા નથી. જ્યા ફૂટ્યા છે ત્યાં ડોડામાં દાણા ઊગી ગયા છે. 20 હજાર હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી જમીનમાં અંદર જ ઊગી ગઈ છે. અડદ, મકાઈમાં 8 હજાર હેક્ટરમાં નુકસાન થયું છે.
એસડીઆરએફમાંથી હેક્ટરદીઠ બિનપિયત માટે રૂ.6800 અને પિયત વિસ્તારમાં રૂ.13,500 ચૂકવવાની જોગવાઈ છે.
કપાસનું 57,741 હેક્ટરમાં 40 હજારથી વધુ ખેડૂતોએ વાવેતર કર્યું છે. વીમો માત્ર 475 ખેડૂતોએ લીધો હોવાનું ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મગફળી ઊગી જવાના કિસ્સામાં પણ વીમો તો મળશે જ, 4 હજારથી વધુ હેકટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું.
ગોંડલ તાલુકામાં 60 ઈંચ વરસાદ થયો છે. મગફળી, મગ, અડદ, તલ, બાજરી, કપાસમાં ઊગેલા જીંડવા ભીનાં થઈ ગયાં છે. 600 વીઘા જેટલી જમીનમાં ખરીફ પાક નિષ્ફળ ગયો છે, જ્યારે તલ જેવો નાજુક પાક બળી ગયો છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, અડદ સહિત કઠોળના પાક છોડમાં ઊગી ગયા છે.
સમગ્ર ગુજરાતમાં વધુ પડતા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી મગફળીના ડોડવા જમીનમાં જ ઊગી ગયા છે અને તેની ગુણવત્તા પર પણ અસર પડી છે. મગફળીને ટેકાના ભાવે તથા બજારમાં કોઈ ખરીદવા તૈયાર નથી.
વરસાદના પાણીના કારણે 5.21 લાખ હેક્ટર તલની શિંગ પૈકી 40 ટકા શિંગોની અંદર દાણા ફુગાઈ ગયા છે અથવા ઊગી ગયા છે. બીજા 50 ટકા તલ નકામા બનતાં 90 ટકા પાક નિષ્ફળ ગયો છે. બાજરીના ડુંડામાં દાણા ઊગી ગયા છે, બાકી રહી ગયેલા દાણામાં ફૂગ લાગી જતાં બગડી ગઈ છે. 90 ટકા બાજરી નકામી બની ગઈ છે.[:]