[:gj]અમદાવાદ સાયબર એકટેકના ભય હેઠળ સતત રહે છે, સાયબર ક્રિમિનલ્સ વધી રહ્યાં છે[:]

[:gj]ભારતના કોલકત્તા, પુણે, નવી દિલ્હી, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ, ચેન્નાઈ, જબલપુર, ભુવનેશ્વર, થાણે, ગરૃગૃમ, પટના શહેરો સાયબર ક્રિમિનલ્સથી સુરક્ષિત નથી. આ શહેરોમાં સાયબર એટેકથી સતત ભય હેઠળ છે.

તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ ગત વર્ષે સાયબર એટેકની સંખ્યામાં બેંગ્લુરૂ હિટલિસ્ટમાં રહ્યું છે. આ માહિતી કિવક હિલના તાજેતરના રિપોર્ટમાં સામે આવી છે. તો સિવાય દિલ્હી-મુંબઈ – એનસીઆર અને કોલકાતામાં પણ મોટી સંખ્યામાં સાયબર એટેકના બનાવો બન્યાં છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુ ટેકનોલોજી હબ છે અને આઈટી જોબ માટે સૌથી પસંદગીની જગ્યા છે અને માટે જ ત્યાં સાયબર એટેક સૌથી વધારે થાય છે.

રેન્સમવેર માલવેર વાયરસનું એક સ્વરૂપ છે જે વપરાશકર્તાઓની ફાઈલો અથવા ડિવાઈઝને લોક કરે છે તે પછી તેનો એકસેસ ફરી મેળવવા માટે ઓનલાઈન નાણાં ચૂકવણીની માગ કરવામાં આવે છે જે પ્રતિ મિનિટ સાયબર એટેકમાં 14 ગણો વધારો થયો છે. મોબાઈલ ડિવાઈઝના વધારો થતાં સાયબર સિકયોરિટીને લઈને જોખમમાં વધારો થયો છે.

ગત વર્ષ વિન્ડો ડિવાઈઝ ઉપર આશરે 9730 લાખ માલવેર એટકે થયા હતાં એટલે પ્રતિ મિનિટ 1900 ડિવાઈઝ ઉપર એટેક થયા છે. સાયબર ક્રિમિનલ માલવેર સર્વિસની રેનસમવેર સર્વિસનું વેચાણ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમ વિષય લોકોની જાગૃતિ ખૂબ જ હોવાને કારણે લોકોને આ વિશે જાગૃત થવાની જરૂર છે આ ઉપરાંત સાયબર ક્રાઈમ માટે કાયદા વધુ કડક કરવાની પણ જરૂર છે.[:]