[:gj]અમિત શાહ દીક્ષાંત પ્રવચન આપશે, શું દીક્ષા આપશે ?[:]

[:gj]ગાંધીનગર, 9 જાન્યુઆરી 2020

૧૧મી જાન્યુઆરી – ૨૦૨૦ના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રિય ગૃહ પ્રધાન   અમિતભાઇ શાહ જન-જનની સલામતી અને સુરક્ષા માટેના ગુજરાત પોલીસના વિવિધ યોજનાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ કરાવશે.

7 હજાર જંકશન પર કેમેરા

અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવા રૂા. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી – VISWAS પ્રોજેક્ટ હેઠળ ૧૨૫૬ જંકશન ઉપર ૭,૦૦૦થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ કેમરા ૩૩ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘‘નેત્રંગ’’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોસ સેન્ટર ત્રિ-નેત્ર સાથે જોડાશે. પ્રોજેક્ટમાં ટ્રાફિક મેનેજમેન્ટ, નિયંત્રણ અને એન્ફોર્સમેન્ટ, અપરાધી  બનાવોની તપાસ અને વિડીયો ફોરેન્સીક, ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટથી થશે.

પોલીસની કાર્યક્ષમતામાં વધારો, માર્ગ-સલામતી અને અર્બન મોબીલીટી, મહિલા – બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓની સુરક્ષા અને રાજ્યના તમામ શહેરો, જિલ્લા મુખ્યાલયોને અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા પૂરી પડાશે.

સાયબર સુરક્ષા લેબ

આ માટે સાયબર આશ્વસ્ત – CYBER AASHVAST પ્રોજેક્ટનો આરંભ કરાશે. જેમાં દેશનું પહેલું સાઇબર ક્રાઇમ પ્રિવેન્સન યુનિટ કાર્યાન્વિત થશે, આ યુનિટ સાયબર ફ્રોડ  અને ક્રિમીનલ્સથી નાગરિકોને માહિતગાર કરશે. સાથે -સાથે સાયબર ફ્રોડ માટે વપરાતા નંબરોનો સૌથી મોટો ડેટા બેઝ www.gujaratcybercrime.org પોર્ટલ ઉપર તૈયાર કરાશે. આ ઉપરાંત લોકોના ફોન અને ડીઝીટલ ડિવાઇસના આરોગ્યનું ધ્યાન, મોબાઇલમાં આવતા માલવેર, વાયરસ અને અન્ય ખતરાઓની ચકાસણી પોલીસ કરી શકે તે માટે સાયબર સુરક્ષા લેબ પણ કાર્યાન્વિત થશે.

સાયબર ક્રાઈમ

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ થકી પોલીસ નાગરિકોને થતા આર્થિક નુકસાન અટકાવવા માટે સામેથી સંપર્ક કરીને પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીની જાણ કરી શકે તે માટે સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટ રિસ્પોન્સ યુનીટ કાર્યાન્વિત થશે. સાયબર ક્રાઇમ પર ત્વરિત કાર્યવાહી કરાશે. તથા ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરતા સાબયર ક્રાઇમ સંબંધિત પોલીસ કર્મી તેની માહિતીના આધારે જરૂરી પગલાં લેશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં એક એન્ટી સાયબર બુલીંગ યુનિટ પણ તૈયાર કરાશે, જેમાં ઓનલાઇન હેરેસમેન્ટથી નાગરિકોને બચાવવા માટે મદદ કરાશે. ભોગ બનનારને સોશ્યલ મીડીયાથી જરૂરી તકેદારીઓ માટે સુસજ્જ પણ કરાશે. ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.

પદવિદાન સમારંભ

૧૧મી જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત ટેકનોલોકલ યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ થશે. અમિત શાહ ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાનાર કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમમાં જશે.

રાજ્ય ગૃહ પ્રધાન  પ્રદિપસિંહ જાડેજાએ આજે મહાત્મા મંદિર ખાતે રૂબરૂ મુલાકાત લઇ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

પ્રધાન જાડેજાએ આ દરમિયાન કાર્યક્રમના મુખ્ય હોલની મુલાકાત, પ્રોટોકોલ, ડાયસ પ્લાન, પ્રધાન, એમ.પી., એમ.એલ.એ., તેમજ મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પ્રવેશ વ્યવસ્થા, આમંત્રણ, સ્વાગત તેમજ ટેકનીકલ  બાબતોની વિવિધ કમિટિઓના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ કાર્યક્રમની તૈયારીની  વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.[:]