[:gj]આઠ લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષકની પરીક્ષા આપી [:]

[:gj]તાજેતરમાં રાજયમાં ૮,૭૬,૩૫૬ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ OMR શીટ દ્વારા જ લેવામાં આવી હતી. રાજયમાં લોકરક્ષકની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને અગાઉથી OMR શીટની તમામ જાણકારી મળી રહે તે હેતુથી નમૂનાના ભાગરૂપે બારકોડેડ વિનાની OMR શીટ વેબસાઇડ ઉપર મુકવામાં આવી હતી. લોકરક્ષક પરીક્ષા પધ્ધતિમાં ઉત્તરવહી પર પાર્ટ-એ માં ઉમેદવારોનો નંબર, પ્રશ્નપુસ્તિકા ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા કોડ, ઉમેદવારની સહી, પ્રયાસ કરેલ પ્રશ્નોની સંખ્યા અને બારકોડ હોય છે. જયારે પાર્ટ-બી માં બારકોડ અને ઉત્તરના એ, બી, સી., ડી. વિકલ્પો હોય છે. પાર્ટ-એ અને પાર્ટ-બી ના બારકોડ એક જ ઉત્તરવહીમાં સરખા હોય છે અને તે તમામ ઉત્તરવહીમાં યુનિક એટલે કે, તમામમાં અલગ-અલગ હોય છે. ઉત્તરવહીના મુલ્યાંકનમાં ગુણાંકન પાર્ટ-બી માંથી સ્કેનીંગ દ્દવારા નકકી થાય છે. જે પાર્ટ-બી માં ઓળખની કોઇ જ નિશાની જેવી કે, સહી, નંબર, નામ વિગેરે કશુ જ નથી હોતુ, એટલે નકકી થયેલ નામ કે નંબર વાળાનું જ પરિણામ સારૂ લાવી શકાય તેવું શકય જ નથી.
પરિણામ તૈયાર કરવાની પધ્ધતિમાં પાર્ટ-એ અને પાર્ટ-બી નો ડેટા સ્કેનીંગ આધારે તૈયાર થયા બાદ તેમાં આન્સર કી દ્દવારા ડેટા મેચ
કરાય છે. તેના આધારે પરિણામ તૈયાર થાય છે. આ પધ્ધતિમાં કોઇપણ તબકકે કોઇપણ વ્યકિત સુધારો કે ફેરફાર, પરિણામમાં કે ડેટામાં કરી
શકતો નથી. એ વાત ખરી નથી કે પાર્ટ-એ અને પાર્ટ-બી માં બારકોડ આપેલ નથી. વળી આ સિસ્ટમ કોઇ નવી નથી. અગાઉની પરીક્ષાઓ
પણ આ જ રીતે લેવાયેલ છે અને તેમાં ક્ષતિરહિત અને તટસ્થ પરિણામો તૈયાર થયા છે
હતું.
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની લેખિત પરીક્ષા કાર્યવાહી અંગેની સંપૂર્ણ માર્ગદર્શિકા તમામ સેન્ટરોના સંચાલકોને
અગાઉથી મોકલી આપવામાં આવી હતી. જેમાં પરીક્ષાની કામગીરીમાં જોડાયેલ તમામ અધિકારીઓ/ કર્મચારીઓની જવાબદારીની વિગતો
રજૂ કરવામાં આવી હતી
પરીક્ષાને સફળ બનાવવા રાજયના પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં
આવી હતી, જેમા ગેરરિતી ન થાય તે હેતુથી ૭૦૦ થી વધુ ફલાઇંગ સ્કોર્ડની રચના કરવામાં આવી હતી.
રાજયના કુલ-ર૯ શહેરો અને જિલ્લાઓની ૨,૪૪૦ શાળા-કોલેજોના ર૯,રર૦ બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવી
હતી, આ તમામ બ્લોક CCTV કેમેરાથી સંપૂર્ણ સજ્જ હતા. પરીક્ષાનું સાહિત્ય સંપૂર્ણ સુરક્ષિત રહે તે હેતુથી
CCTV કેમેરાથી સંપૂર્ણ સજ્જ ૪૧ સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરીક્ષાને સફળ બનાવવા
શિક્ષણ વિભાગના ૬૪,૭૬૯ તેમજ પોલીસ વિભાગના ૩૧,૫૨૯ અધિકારી/કર્મચારીઓની સેવા લેવામાં આવેલ
હતી. ઉમેદવારોને આવવા-જવાની વિનામૂલ્યે સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવી હતી આમ,
તાજેતરમાં સંપૂર્ણ પારદર્શકરીતે યોજાયેલી લોકરક્ષકની પરીક્ષા અંગેની સચોટ વિગતો રજૂ કરી[:]