[:gj]આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ[:]

[:gj]ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ  હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાંની ફરીયાદ નોંધાવી છે કે તેના પુત્ર ચકુરભાઇ ને તેના ભત્રીજા ભરત ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા અને પત્ની કાળીબેન સરવૈયાએ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી છે. કાળીબેન મૃતક ચકુરભાઇના બીજી પત્ની છે. અને તેને ભરત સાથે આડા સબંધો હોય આ અંગે ઝઘડો થતો હતો અને તેથી તેની દાઝ રાખી બન્ને એ ચકુરભાઇની હત્યા કરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે. પોલીસ સ્ટેશનના  સ્ટાફના માણસો મર્ડરના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી  ભરતભાઇ ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા અને કાળીબેન સરવૈયાને ભાવનગર પીલગાર્ડન ખાતેથી ઝડપી પાડ્યાં હતાં.  બન્ને આરોપીઓના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધાં હતા.[:]