[:gj]આરોગ્ય વનમાં ૬૧ પ્રકારના છોડ પાસે ઔષધીય ગુણો અને રોગ સાથે મૂકાયા [:]

[:gj]દાહોદમાં આહલાદક નજારા સાથે તૈયાર થઈ રહ્યું છે અનેરું વન

આરોગ્ય વનના કારણે રાબડાલ પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું

આઈ લવ દાહોદના સાઈન બોર્ડે પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આપવામાં આવેલા નવલા નજરાણા સમાન રાબડાલ સ્થિત પર્યટન સ્થળ આરોગ્ય વનની અત્યાર સુધીમાં અંદાજે 20 હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી છે. દાહોદના નગરજનોમાં આરોગ્ય વન પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. ત્યાં લગાવાયેલા આઈ લવ દાહોદના સાઈનબોર્ડ દાહોદની મુલાકાત લેનારા નવાંગુતકોમાં અલગ છાપ ઊભી કરે છે. આ આરોગ્યવનને ઊભું કરવા માટે ગાંધીનગર ખાતે વન પ્રધાનની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠકો મળી હતી અને તેમાં ગહન ચર્ચા વિચારણના અંતે આ આરોગ્યવનની ડિઝાઈન ગાંધીનગર ખાતે નક્કી કરવામાં આવી હતી.

4.40 હેક્ટર જમીનમાં સામાજિક વનીકરણ

દાહોદ જિલ્લાના રામપુરા રેન્જમાં આવતી રાબડાલની વીડીમાં ૪.૪૦ હેકટર જમીનમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આરોગ્ય વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વન વિભાગ દ્વારા કુલ ૬૧ પ્રકારના 3111 ઔષધીય અને સુશોભનના રોપાનું વાવેતર કરાયું છે. આટલું ઓછું હોય એમ, ઔષધીય રોપા આગળ તેના ગુણો, કયા રોગમાં તે ઉપયોગી છે ? તેનું વર્ણન કરતા સાઈન બોર્ડ પણ લગાવાયા છે. આ ઉપરાંત રાશિવનનું પણ નિર્માણ ત્યાં કરવામાં આવ્યું છે.

આરોગ્ય વનમાં વિવિધતાસભર વ્યવસ્થા

આરોગ્ય વનમાં 1327 ચોરસ મીટરનો પાથ વે, 1881 ચોરસ મીટરનો મેઈન ગેટ, એન્ટ્રી ગેટ અને વન કૂટિર, બેસવાના આરામપ્રદ બાંકડા મૂકવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા હજુ પણ ત્યાં વિવિધ પ્રકારના કામો હાથ ધરાશે. જેમાં ચેકડેમ, પાણી માટે કૂવો અને બોર, આયુર્વેદિક સ્ટોર અને ફૂડ કોર્ટ, વન કુટિર સિટિંગ એરિયા, નાના બાળકો માટે પ્લે એરિયા, પીવાના પાણીની સુવિધા અને લાઇટ એરેન્જમેન્ટ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન ધરવામાં આવ્યું છે.

આરોગ્ય વનમાં નયનરમ્ય નજારો

નેશનલ હાઈ વેને અડીને આવેલી રાબડાલની વીડીની ટેકરી ઉપર બનાવાયેલા આરોગ્ય વનની મુલાકાત લેશો તો જરૂરથી પ્રકૃત્તિ સાથે એકાકાર થયા વિના રહેવાશે નહિ એવા નયનરમ્ય નજારા અહીં જોવા મળશે. કારણ કે, આરોગ્ય વનની પાછળ આવેલી ટેકરીઓમાં પથરાયેલી 2200 હેક્ટરની ગ્રાસ લેન્ડ આંખોને ગમી જાય એવી રીતે તૈયાર કરાઈ છે. ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારે પ્રકૃત્તિની હરિયાળી ચાદર ઓઢી લીધી છે. પક્ષીઓનો કર્ણપ્રિય અવાજ અને પવનની લહેરખીઓ મનને ઝંકૃત કરી દે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ગ્રાસલેન્ડના કારણે 600 લોકોને રોજગારી

રાબડાલ વીડીની પણ એક વિશેષતા એ છે કે 2200 હેક્ટરમાં પથરાયલી આ ગ્રાસલેન્ડમાં પ્રતિ વર્ષ લગભગ 14 લાખ કિલો ઘાસનું ઉત્પાદન થાય છે. તેના કારણે 600 લોકોને રોજગારી મળે છે. વળી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અછતના સમયે રાબડાલની વીડીનું ઘાસ ત્યાંના પશુઓની ભૂખ મટાડે છે.[:]