






કોંગ્રેસનો વિનાશ
હરી જાડેજાએ લખ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વરીષ્ઠ લોકોને જવાબદારી સોપવામાં આવે. દિશા વિનાનું સુકાન વિનાશ કારી સાબીત થશે. જો કોંગ્રેસ બચાવવી હોય તો હાલના પ્રમુખને હટાવવાની વાત પણ કરી છે.
બાદબાકી
યુથ કોંગ્રેસના ટાઉનહોલમાં રાખેલ કાર્યક્રમમાં યજુવેન્દ્ર જાડેજાની બાદબાકી કરાઇ હતી જેના રીએકશનમાં યુથ કોંગ્રેસ કાર્યકરોને જિલ્લા કાર્યાલયમાં બેસવા માટે જિલ્લા પ્રમુખે મનાઈ કરી હતી. આ તમામ બનાવો બાદ જૂથવાદ ફરી સામાજિક માધ્યમોમાં મારફતે વકર્યો છે.
જૂથવાદથી કોંગ્રેસ છોડી
2019ની લોકસભા પૂર્વે કોંગ્રેસમાં થયેલો આંતરિક ભડકો મુશ્કેલી સર્જી રહ્યો છે. કચ્છ કોંગ્રેસમાં જૂથવાદ આવી રીતે અવારનવાર સામે આવી રહ્યો છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અને સંગઠનમાં વિવિધ હોદા સંભાળી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્ર જેઠવા અને મંત્રી યશપાલ જેઠવાએ કોંગ્રેસ છોડી ભાજપમાં પૈસા માટે ગયા હતા. દેવેન્દ્રએ સરપંચો, માજી સરપંચો , સહકારી મંડળીના સભ્યો , હોદેદારો સહિત 500 કાર્યકરો સાથે પક્ષાંતર કર્યું હતું ત્યારે પણ તેની ભારે ટીકા થઈ હતી અને ભાજપની સામે રોષ ફેલાયો હતો. દેવેન્દ્રએ લોકસભાની ચૂંટણી વખતે જાહેર કર્યું હતું કે કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળીને કોંગ્રેસ સાથે તેમણે છેડો ફાડયો છે. આંતરિક જૂથવાદ મીટાવવા જિલ્લાથી પ્રદેશ સંગઠન સુધી રજુઆત કરી છતાં જુથવાદ બંધ થયો ન હતો.
2016 સુધી બધા એક હતા
ભુજના જયુબીલી સર્કલ પાસે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને લીધે હાલાકી ભોગવતા લોકો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કર્યો ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જુવાન જાડેજા, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રમેશ મહેશ્વરી, ઉપ પ્રમુખ હરી જાડેજા, મહામંત્રી ઉપેન્દ્ર જાડેજા, વિપુલ આહીર, વિક્રમ જાડેજા, અબડાસા વિસ્તારના પ્રમુખ હઠુભા સોઢા, મુન્દ્રા યુવા કોંગ્રેસના પ્રમુખ વિપુલ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ રવિ ડાંગર, મહામંત્રી જયવીર જાડેજા, મુસ્તાક ચાકી અને કાર્યકરો સાથે હતા ત્યાર બાદ વિખવાદો શરૂં થયા હતા જે આજે પરાકાષ્ટા સુધી પહોંચ્યા છે.
કોંગ્રેસ કાર્યાલયમાં જ કોંગ્રેસ વિરૃદ્ધ સુત્રોચ્ચાર
કચ્છ કોગ્રેસ કાર્યાલયમાં કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજા સામે સૂત્રોચ્ચા કર્યા હતા. જીલ્લા પ્રમુખે કોગ્રેસ કાર્યાલયમાં કારોબારી બેઠક માટે યુથ કોગ્રેસને મનાઇ ફરમાવી હતી તેથી આ વિખવાદ થયા હતા. કોગ્રેસના બન્ને યુવા નેતા યજુવેન્દ્ર અને હરિ વચ્ચે લાંબા સમયથી ઠંડુયુદ્ધ જાહેરમાં આવી ગયું હતું. છતાં તેમની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમીત ચાવડાએ કોઈ પગલાં ભર્યા નથી.
પોસ્ટરમાંથી નિકળ્યા હીરો
યુથ કોગ્રેસનો એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં કચ્છ કોગ્રેસના પ્રમુખ તો ઠીક પરંતુ ગુજરાત કોગ્રેસના પ્રમુખની પણ પોસ્ટરમાંથી બાદબાકી કરાઇ હતી. તેથી જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા. રામધુન ગાઇ પ્રમુખને સન્મતી આપવા કાર્યક્રમ આપી દીધો અને કોંગ્રેસની આબરૂના લીરા ઉડાવવામાં આવ્યા હતા. જો ત્યારે જ જાડેજા બંધુ સામે પગલાં ભરાયા હોય તો કોંગ્રેસ કચ્છ અકબંધ રહ્યું હોત.
ત્યારે કહેવાયું હતું કે જિલ્લા પ્રમુખ પોતે યુથ કોગ્રેસની સતત અવગણના કરે છે. આપખુદશાહીથી કોગ્રેસને તોડી રહ્યા છે. કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ યજુવેદ્ર જાડેજા મૌન ધારણ કરીને વિવાદથી દુર રહી કોંગ્રેસની આબરૂ કંઈક બચાવી હતી. છતાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હરી સામે કોઈ પગલાં લીધા નથી
2018થી વિખવાદો શરૂ
2 ઓગષ્ટ 2018થી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે યજુવેન્દ્ર જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સંગઠનમાં યુવાઓને તક આપવામાં આવી હતી. ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર કરવાના હતા. નરેશ મહેશ્વરીની ટર્મ પુરી થતા નવા પ્રમુખ તરીકે યુવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. યજુવેન્દ્ર જાડેજા અગાઉ યુથ કોંગ્રેસમાં વિવિધ હોદા પર રહીને કોંગ્રેસ માટે સંગઠનની કામગીરી કરેલ છે. નિમણુંક વખતે તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હતા. યુવાનને પસંદ કરાતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ હતો. યજુવેન્દ્રના પિતા શૈલેન્દ્ર જાડેજા કોંગ્રેસ પક્ષના સંગઠનમાં હોદા પર રહી પક્ષ માટે કામ કરેલું છે. તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની ચુંટણી પણ લડી ચુકયા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યુવા નેતા તરીકે તક આપવામાં આવી હતી.