કચ્છ કોંગ્રેસના બે યુવા આખલાની લડાઈમાં પક્ષનો ખો નિકળી ગયો, અમિત ચાવડા મૌન

કચ્છ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીને કારણે સ્ફોટક સ્થિતિ થઈ છે. કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ કોંગ્રેસના પ્રમુખે ફેસબુકમાં કરતા ગુજરાત કોંગ્રેસમાં યુવા પાંખના પ્રમુખ સામે અને વંશવાદ સામે ભારે વિરોધ થયો છે.
પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જૂથવાદ અગાઉ પણ ઘણી વખત સામે આવી ચુક્યો છે. જૂથવાદના બીજ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં નખાયા હતા. કચ્છ 45,652 ચો.કિ.મી.નો દેશનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો 23.28 ટકા વિસ્તાર ધરાવે છે ત્યારે ગામડાઓમાં રોડ કે પ્રજાને સગવડ મળતી નથી ત્યારે પ્રજાની વેદનાનો અવાજ બનવાના હદલે કોંગ્રેસના બે યુવા નેતાઓ વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસનું ધનોતપનોત નિકળી રહ્યું છે.
ફેસબુક પર વિવાદ
 
કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હરી જાડેજાએ ફેસબુક ઉપર ગુરુવારે આ અંગેની બે પોસ્ટ મૂકી હતી. જેમાં એકમાં તેમણે કચ્છનાં કોંગ્રેસને નબળા નેતા તરીકે યજુવેન્દ્ર જાડેજાને કારણે એક વર્ષમાં કોંગ્રેસના સારા નેતા ભાજપમાં જોડાઈ ગયા હોવાનું તથા સારા આગેવાનો નિષ્ક્રિય બની ગયા હોવાનું લખ્યું હતું. જો કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો યજુવેન્દ્રને કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવા જોઈએ તેવી માંગણી કરતી પોસ્ટ મૂકી હતી.
કોંગ્રેસનો વિખવાદ અને પતન
બીજી એક પોસ્ટમાં યુથ કોંગ્રેસનાં આ નેતાએ કોંગ્રેસનાં ભવિષ્યની ચિંતા કરતા હોય તે રીતે અગાઉનાં પ્રમુખ નવલ જાડેજાનાં કાર્યકાળને યાદ કર્યો હતો. અને નવલને ફરીથી જિલ્લા પ્રમુખનો હવાલો સોંપવામાં આવે તેવી વાત કરી હતી. જેને મોળો પ્રતસિસાદ મળ્યો હતો. કારણ કે નવલ જાડેજાના સમયમાં જ કોંગ્રેસનું પતન શરૂં થયું હતું જે યજુવેન્દ્ર જાડેજા અને હરી જાડેજાના સમયમાં પતન થઈ ગયું છે. એવું ગુજરાતના કોંગ્રેસના ઘણા વિસ્તારોના લોકો માની રહ્યાં છે.
લખાણ પરત ખેંચ્યું 
યુથ કોંગ્રેસના નેતા બંને પોસ્ટ ફેસબુકમાં મૂક્યા બાદ દબાણમાં આવી ગયા હોય તે રીતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાનાં નામવાળી પોસ્ટ હટાવી દીધી હતી. અલબત્ત તે પહેલા જ કેટલાક કાર્યકરો દ્વારા તેનો સ્ક્રીન શોટ લઈ લીધો હોવાને કારણે પોસ્ટ દૂર કર્યા પછી પણ તે પોસ્ટ વાઇરલ થઈ હતી.
અગાઉ પણ કચ્છ યુથ કોગ્રેસના કાર્યક્રમ સમયે પોસ્ટરમાંથી જીલ્લા પ્રમુખની બાદબાકીને લઇને બન્ને વચ્ચે અહંમની હુંસાતુસી જાહેરમાં આવી હતી અને પક્ષના દરેક કાર્યકરે જાહેરમાં નજરે જોઇ હતી.
ધરણા કરી ગેરશિસ્ત આચર્યું 
કોગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ મુદ્દે પણ ઘરણા સહિતના પ્રદર્શનને લઇને યુથ કોંગ્રેસના પ્રમુખ હરિ ચર્ચામાં રહેલા છે. તેવામાં ફરી એકવાર આમ ખુલ્લે આમ પોસ્ટ કરી કોગ્રેસમાં પણ આંતરીક જુથ્થવાદ ચરમસીમાએ હોવાનો ઇશારો તેમણે કર્યો છે.  હતી. જેને લીધે એક વાત તો નક્કી છે કે, કચ્છ કોગ્રેસમાં પણ બધુ બરાબર તો નથી જ.
ભાજપને શુભેચ્છામાં મથરાવટી મેલી  
કોંગ્રેસ પક્ષના ભવિષ્યની ચિંતા કરનાર આ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ પોતાની ફેસબુક આઈડી ઉપરથી તેમના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને શુભેચ્છાની પુષ્પવર્ષા પણ કરી હતી. જેને લીધે તેમની મથરાવટી સામે પણ જિલ્લાના કોંગી કાર્યકરો ટિપ્પણી કરી રહ્યા છે.
પિતાએ પુત્રને પ્રમુખ બનાવ્યા 
યજુવેન્દ્ર જાડેજાને જયારે કચ્છ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાનાં કોંગી અગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે કોંગ્રેસની આંતરિક ચૂંટણી વખતે જ યજુવેન્દ્ર જાડેજાને કચ્છ ગાંધીધામમાંથી વોટ મળ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ ગાંધીધામ નગર પાલિકાની ચૂંટણી હારી ગયેલા વ્યક્તિને જિલ્લાનાં પ્રમુખ બનવતા જે તે સમયે  કોંગ્રેસમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. યજુવેન્દ્ર જાડેજાનાં પિતા શૈલેન્દ્ર જાડેજાને કારણે તેમને પ્રમુખ બનાવ્યા હોવાની જાહેરમાં ટીકા થઈ હતી. લોકસભાની ચૂંટણી વેળાએ કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ મહેશ્વરીની સાથે મળીને ચૂંટણી ફંડ ઘર ભેગું કર્યાની વાતથી પણ કોંગ્રેસના કાર્યકરો રાઘવાયા બન્યા હતા.

કોંગ્રેસનો વિનાશ 
હરી જાડેજાએ લખ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વરીષ્ઠ લોકોને જવાબદારી સોપવામાં આવે. દિશા વિનાનું સુકાન વિનાશ કારી સાબીત થશે. જો કોંગ્રેસ બચાવવી હોય તો હાલના પ્રમુખને હટાવવાની વાત પણ કરી છે.

 બાદબાકી 

યુથ કોંગ્રેસના ટાઉનહોલમાં રાખેલ કાર્યક્રમમાં યજુવેન્દ્ર જાડેજાની બાદબાકી કરાઇ હતી જેના રીએકશનમાં યુથ કોંગ્રેસ કાર્યકરોને જિલ્લા કાર્યાલયમાં બેસવા માટે જિલ્લા પ્રમુખે મનાઈ કરી હતી. આ તમામ બનાવો બાદ જૂથવાદ ફરી સામાજિક માધ્યમોમાં મારફતે વકર્યો છે.

જૂથવાદથી કોંગ્રેસ છોડી

2019ની લોકસભા પૂર્વે કોંગ્રેસમાં થયેલો આંતરિક ભડકો મુશ્કેલી સર્જી રહ્યો છે. કચ્છ કોંગ્રેસમાં જૂથવાદ આવી રીતે અવારનવાર સામે આવી રહ્યો છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અને સંગઠનમાં વિવિધ હોદા સંભાળી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્ર જેઠવા અને મંત્રી યશપાલ જેઠવાએ કોંગ્રેસ છોડી ભાજપમાં પૈસા માટે ગયા હતા. દેવેન્દ્રએ સરપંચો, માજી સરપંચો , સહકારી મંડળીના સભ્યો , હોદેદારો સહિત 500 કાર્યકરો સાથે પક્ષાંતર કર્યું હતું ત્યારે પણ તેની ભારે ટીકા થઈ હતી અને ભાજપની સામે રોષ ફેલાયો હતો. દેવેન્દ્રએ લોકસભાની ચૂંટણી વખતે જાહેર કર્યું હતું કે કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળીને કોંગ્રેસ સાથે તેમણે છેડો ફાડયો છે. આંતરિક જૂથવાદ મીટાવવા જિલ્લાથી પ્રદેશ સંગઠન સુધી રજુઆત કરી છતાં જુથવાદ બંધ થયો ન હતો.

2016 સુધી બધા એક હતા

ભુજના જયુબીલી સર્કલ પાસે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને લીધે હાલાકી ભોગવતા લોકો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કર્યો ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જુવાન જાડેજા, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રમેશ મહેશ્વરી, ઉપ પ્રમુખ હરી જાડેજા, મહામંત્રી ઉપેન્દ્ર જાડેજા, વિપુલ આહીર, વિક્રમ જાડેજા, અબડાસા વિસ્તારના પ્રમુખ હઠુભા સોઢા, મુન્દ્રા યુવા કોંગ્રેસના પ્રમુખ વિપુલ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ રવિ ડાંગર, મહામંત્રી જયવીર જાડેજા, મુસ્તાક ચાકી અને કાર્યકરો સાથે હતા ત્યાર બાદ વિખવાદો શરૂં થયા હતા જે આજે પરાકાષ્ટા સુધી પહોંચ્યા છે.

કોંગ્રેસ કાર્યાલયમાં જ કોંગ્રેસ વિરૃદ્ધ સુત્રોચ્ચાર

કચ્છ કોગ્રેસ કાર્યાલયમાં કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજા સામે સૂત્રોચ્ચા કર્યા હતા. જીલ્લા પ્રમુખે કોગ્રેસ કાર્યાલયમાં કારોબારી બેઠક માટે યુથ કોગ્રેસને મનાઇ ફરમાવી હતી તેથી આ વિખવાદ થયા હતા. કોગ્રેસના બન્ને યુવા નેતા યજુવેન્દ્ર અને હરિ વચ્ચે લાંબા સમયથી ઠંડુયુદ્ધ જાહેરમાં આવી ગયું હતું. છતાં તેમની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમીત ચાવડાએ કોઈ પગલાં ભર્યા નથી.

પોસ્ટરમાંથી નિકળ્યા હીરો 
યુથ કોગ્રેસનો એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં કચ્છ કોગ્રેસના પ્રમુખ તો ઠીક પરંતુ ગુજરાત કોગ્રેસના પ્રમુખની પણ પોસ્ટરમાંથી બાદબાકી કરાઇ હતી.  તેથી જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા. રામધુન ગાઇ પ્રમુખને સન્મતી આપવા કાર્યક્રમ આપી દીધો અને કોંગ્રેસની આબરૂના લીરા ઉડાવવામાં આવ્યા હતા. જો ત્યારે જ જાડેજા બંધુ સામે પગલાં ભરાયા હોય તો કોંગ્રેસ કચ્છ અકબંધ રહ્યું હોત.

ત્યારે કહેવાયું હતું કે જિલ્લા પ્રમુખ પોતે યુથ કોગ્રેસની સતત અવગણના કરે છે. આપખુદશાહીથી કોગ્રેસને તોડી રહ્યા છે. કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ યજુવેદ્ર જાડેજા મૌન ધારણ કરીને વિવાદથી દુર રહી કોંગ્રેસની આબરૂ કંઈક બચાવી હતી. છતાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હરી સામે કોઈ પગલાં લીધા નથી

2018થી વિખવાદો શરૂ

2 ઓગષ્ટ 2018થી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે યજુવેન્દ્ર જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સંગઠનમાં યુવાઓને તક આપવામાં આવી હતી. ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર કરવાના હતા. નરેશ મહેશ્વરીની ટર્મ પુરી થતા નવા પ્રમુખ તરીકે યુવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. યજુવેન્દ્ર જાડેજા અગાઉ યુથ કોંગ્રેસમાં વિવિધ હોદા પર રહીને કોંગ્રેસ માટે સંગઠનની કામગીરી કરેલ છે. નિમણુંક વખતે તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હતા. યુવાનને પસંદ કરાતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ હતો. યજુવેન્દ્રના પિતા શૈલેન્દ્ર જાડેજા કોંગ્રેસ પક્ષના સંગઠનમાં હોદા પર રહી પક્ષ માટે કામ કરેલું છે. તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની ચુંટણી પણ લડી ચુકયા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યુવા નેતા તરીકે તક આપવામાં આવી હતી.