[:gj]કોગ્રેસની સભા, રેલી અને વિધાનસબા ધેરાવમાં ઘર્ષણ, નેતાઓને પકડી લેવાયા [:]

[:gj]ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાયેલાં ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીની માગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલી યોજી હલ્લાબોલ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-૬ ખાતેની સત્યાગ્રહ છાવણીએ સવારે ૯ કલાકે રેલીને સંબોધન કરવામાં આવી ત્યારરબાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો, આગેવાનો અને ખેડૂતો વિધાનસભાને ઘેરાવ કરવા માટે કૂચ કરશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના ખેડૂતો સાથે આક્રોશ રેલીમાં પહોંચવા માટે આયોજન કર્યું છે, બીજીતરફ કોંગ્રેસ પ્રેરિત આક્રોશ રેલી અને વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમને પગલે વિધાનસભા સંકુલ અને સત્યાગ્રહ છાવણી આસપાસના વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સવારે ૧૧ કલાકે રેલી સ્થળે આવી પહોંચ્યા હતા અને રેલી સ્થળ પર કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત હતા જેઓ ખેડૂતોને દેવા માફી અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીના આંદોલનને જિલ્લે-જિલ્લે અને ગામડે-ગામડે લઈ જશે અને આગામી સમયમાં સરકાર વિરુદ્ધ જોરશોરથી આક્રમક આંદોલન હાથ ધરશે.

વિધાનસભાના ટૂંકા ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભાને ઘેરાવ કરવાના કોંગ્રેસના નિર્ણય અંગે જણાવ્યું કે, ભાજપના શાસનમાં મોંઘા બિયારણ, ખાતર, વીજળી લઈને ઉત્પાદન કરીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત કરે છે, પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતાં નથી. પાક નિષ્ફળ જાય ત્યારે ઊંચું પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો મળતો નથી. દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાઈને અંતે આત્મહત્યા કરવા મજબૂર બની ગયો છે ત્યારે જગતના તાતને જીવાડવા માટે દેવામાફી કરવી જરૂરી છે.

રાજ્યમાં ૫૪ લાખથી વધુ ખેડૂતોમાંથી ૩૬ લાખથી વધુ ખેડૂતો પાંચ એકરથી ઓછી જમીન ધરાવતાં નાના ખેડૂતો છે. ચાલુ વર્ષે નાની-મધ્યમ મુદત માટે કુલ રૂ. ૩૨ હજાર કરોડનું કૃષિ ધિરાણ કરવામાં આવ્યું છે ત્યારે પાક વીમામાંથી ખાનગી કંપનીઓને દૂર કરીને ગામનો રૂપિયો ગામમાં રહે તે રીતે ખેડૂતને જરૂર હોય ત્યારે નાણાં મળી રહે તેવી સરળ યોજના દાખલ કરવા કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે.

કોંગ્રેસની રજૂઆત બાદ પણ સરકારે ખેડૂતોને દેવાના દુષ્ચક્રમાંથી બહાર કાઢવા માટે કોઈ નિર્ણય કર્યો નથી ત્યારે સૂતેલી સરકારને ઢંઢોળવા માટે આક્રોશ રેલીનું આયોજન કરવું પડ્યું છે. કોંગી નેતાઓએ દાવો કર્યો છે કે, મંગળવારે રાજ્યભરના ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ગાંધીનગરની રેલીમાં પહોંચશે અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વિધાનસભાને ઘેરાવ કરશે.
કોંગ્રેસ દ્વારા ભાજપની તાનાશાહ સરકાર વિરુદ્ધ ખેડૂતોના દેવામાફીના પ્રશ્ને ગાંધીનગરમાં આજે સવારે આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું તેમજ ત્યારબાદ ખેડૂતો અને કોંગીજનો દ્વારા વિધાનસભાની ઘેરાબંધી કરવાનો કાર્યક્રમ યોજવાનો હતો. કોંગ્રેસના કાર્યક્રમની માહિતી હોવાથી પોલીસે આગલા દિવસથી સમગ્ર વિસ્તારમાં કિલ્લેબંધી કરી લીધી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓ અને કાર્યકરો આ રેલી બાદ વિધાનસભાની ઘેરાબંધી માટે કૂચ કરી ત્યારે જ પોલીસ વચ્ચે ઘર્ણષ થયું હતું અને પોલીસે ટોચના નેતાઓ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. વિધાનસભા તરફ કૂચ દરમિયાન પોલીસ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સેક્ટર 6 ખાતેના સત્યાગ્રહ છાવણી ખાતે સવારે ૧૧ કલાકે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો, નેતાઓ આવી પહોંચ્યા હતા. દરમિયાન અહીં ભાજપની રાજ્ય સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા અને બાદમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાનો ઘેરાવ કરવા કૂચ કરવા આગળ ધપ્યા હતા. અગાઉથી પોલીસે સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને તેને પગલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી તેમને જુદા જુદા સ્થળોએ લઈ જવાયા છે. ખેડૂત આક્રોશ રેલી પૂર્વે કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીના આંદોલનને જિલ્લે-જિલ્લે અને ગામડે-ગામડે લઈ જશે અને આગામી સમયમાં સરકાર વિરુદ્ધ જોરશોરથી આક્રમક આંદોલન હાથ ધરશે.[:]