[:gj]ખેડૂતો આત્મહત્યા કરે પણ 4 હજાર કરોડના ભાજપના કૌભાંડી મોજ કરે [:]

[:gj]સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે, આપઘાતને અપમૃત્યુમા ખપાવવાનું સરકાર ષડયંત્ર કરી
રહી છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં ભાજપ સરકારે સ્વીકાર કર્યો છે કે, વર્ષ
2013-14 થી 2017-18 સુધી 1 લાખ 8 હજાર 116 લોકોએ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ પામ્યા છે. ૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે એટલે કે, ગુજરાતમાં રોજ ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે જયારે ૪૫ લોકોના આકસ્મિક અપમૃત્યુ થઈ રહ્યા છે.

ખેડૂતની આત્મહત્યાની ઘટના ગુજરાતમાં મોટા પાયે થઈ રહી છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આર્થિક સંકળામણ અનુભવતાં વધુ એક ખેડૂતને જીવન ટૂંકાવવાની ફરજ પડી ત્યારે રાજ્યની ખેતી-ખેડૂતની આર્થિક પાયમાલી માટે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં કૃષિના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જગતનો તાત પાણી માટે વલખા મારે છે. ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી, મોંઘુ ખાતર, ખાતર ઉપર વેટ, મોંઘુ બિયારણ તેમજ મોંઘી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. ખેડૂતોએ ના છૂટકે લોન લેવી પડે છે. ત્યાર પછી પણ ખેડૂતોને ખેતપેદાશનું પૂરતુ વળતર નહીં મળવાની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડુબી રહ્યાં છે. આ સંજોગોમાં ખેડૂતોના સરકારી લેણાં માફ કરવામાં આવે. કેન્દ્રમાં યુપીએ ની ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના ૭૨૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો. સાથોસાથ પંજાબમાં કોંગ્રેસની સરકારે અને કર્ણાટકમાં કોંગ્રેસ ભાગીદાર સરકારે સત્તામાં આવતાની સાથે જ તાત્કાલિક અસરથી ખેડૂતોના દેવા માફ કરીને ખેડૂતોને આર્થિક પાયમાલીમાં બહાર લાવવા માટે પ્રમાણિક પ્રયત્ન કર્યો છે.

છેલ્લા ૨૨ વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત સમાજ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, કૃષિ બજેટમાં ધટાડો અને કૃષિ સબસિડીમાં સતત કાપ, ભાજપનાં રાજમાં ખેતીલાયક જમીન અને ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો, ભાજપના રાજમાં ખેડૂતનાં પરસેવાથી પેદા કરેલી કૃષિ ઊપજ ઉપર જીએસટીના કરવેરા પેટે 5%, ભાજપનાં રાજમાં ખેતીનાં ઓજારો ઊપર કરવેરાનો બોજ, ભાજપનાં રાજમાં ખેડૂતને સરળતાથી સસ્તું ધિરાણ હજુયે શું કામ નહિ, ભાજપનાં રાજમાં પાક વિમા યોજનાનું ખાનગી કરણ કરીને સરકારી તિજોરીને ખુલ્લે આમ લુંટવાનો પિળો પરવાનો, ભાજપનાં રાજમાં ખેડૂતને કૃષિ ઊપજ નાં પોષણક્ષમ ભાવ નથી મળતા, ભાજપનાં રાજમાં ખેડૂતોને સસ્તી પુરતી અને નિયમિત વિજળી નાં ખેતીવાડી કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે, ભાજપનાં રાજમાં સેટેલાઈટ જમીન માપણીથી શેઢાની હદ અને ક્ષેત્રફળમાં છેડછાડ કરીને રૂ.૨૬૨ કરોડનું ફુલેકું ફેરવનારી કામચોર કંપનીને કાળીયાદીમાં મૂકવામાં આવે, રાજ્યમાં ગરીબી રેખા હેઠળના કુટુંબને સાંથળીમાં બે એકર કરતાંયે વધુ સરકારી જમીન ફાળવણીની જોગવાઈ છતાંયે નાના અને સિમાન્ત ખેડૂતનો બીપીએલ યાદીમાં સમાવેશ નથી, ભાજપના રાજમાં રૂ.૪૦૦૦ કરોડનાં મગફળીકાંડમાંથી મલાઈ તારાવનારને કેમ સજા નહિ ? ત્યારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા ખેડૂતોનાં દેવા માફ કરો, નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો. એમ કોંગ્રેસ તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.[:]