[:gj]દર્દીનું મોત થાય અને બિલ બાકી હોય તો પણ મૃતદેહ સોંપી દેવો પડશે[:]

[:gj]કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુજરાતના આરોગ્ય વિભાગને કડક આદેશ કરીને દર્દીઓના અધિકારો અંગેનો ચાર્ટર પ્લાન મોકલી આપ્યો છે. આ પ્લાન લાગુ થયા બાદ હોસ્પિટલના બીલ ચૂકવણીનો વિવાદ થવાના સંજોગોમાં પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાનો ઇન્કાર નહીં કરી શકાય. જોકે આવો આદેશ હોસ્પિટલની ફી સંદર્ભે છે. દરેક ડોક્ટરોએ અને હોસ્પિટલોએ પોતાના ચાર્જીસ જાહેરમાં લખીને મૂકવા એવો નિયમ છે. તેમ છતાં તેનો અમલ થતો નથી. કારણ કે તેમાં કોઈ સજા કે દંડની જોગવાઈ નથી. પણ દર્દી બિલ ન આપે અને દર્દીને રજા આપવામાં ન આવે તો હવે ડોક્ટર અને હોસ્પિટલોને સજા કરવાની જોગવાઈ પણ થશે.

વધુમાં મૃત્યુ પામેલ દર્દીનું શબ તેના પરિવારજનો કે સગાસંબંધીઓને પણ બીલ ચૂકવણીના વિવાદના મામલે સોંપવાનો ઇન્કાર પણ હોસ્પિટલો કરી શકશે નહીં. ચાર્ટર પ્લાન અમલી બન્યા બાદ હોસ્પિટલના બીલના વિવાદમાં દર્દીને રજા આપવાની કે મૃતક દદીંર્નું શબ સોંપવાનો ઇન્કાર કરનાર હોસ્પિટલોએ ગુનો કર્યો ગણાશે અને તે બદલ તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે.

વધુમાં હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીના પરિવારજનની ઇચ્છા વિરુદ્વ હોસ્પિટલ કોઇ ફી વસૂલે કે હોસ્પિટલના બીલની ચૂકવણીના વિવાદમાં પણ મૃતક દર્દીનું શબ હોસ્પિટલમાં રોકી રખાશે નહીં. આરોગ્ય  મંત્રાલયના આ ચાર્ટર પ્લાનના અમલીકરણની તમામ રાજયોને જવાબદારી સોંપવામાં આવશે. મંત્રાલયના સંયુકત સચિવ સુધીરકુમાર દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ મંત્રાલય ઇચ્છે છે કે આ ચાર્ટરને રાજય સરકારો દ્વારા અમલી બનાવવામાં આવે.

આવી ઘટનાઓ ગુજરાતમાં વધું બની રહી છે. તેથી ગુજરાત સરકારે તેનો અમલ તુરંત કરવો પડે તેમ છે.[:]