[:gj]દૂધસાગર ડેરીની હાલત ખરાબ[:]

[:gj]શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.  એશિયાની બીજા નંબરની મહેસાણા દૂધસાગર ડેરીની સ્થિતિ બહુ જ કપરી બની છે.

વર્ષ 1960મા ફક્ત રૂપિયા 5,200થી દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી અને ફક્ત અગિયાર મંડળીઓ સાથે ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. માનસિંહભાઈ ચૌધરી દ્વારા દૂધસાગર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી અને રોજિંદા ત્રણ હજાર લીટર દૂધની આવકથી દૂધસાગર ડેરી કાર્યાન્વિત કરવામાં આવી હતી. જોકે શ્વેતક્રાંતિની શરૂઆત અને ડૉ. વર્ગીસ કુરિયનની દીર્ઘ દૃષ્ટીએ વર્ષો વીતવાની સાથે દૂધ ઉદ્યોગ વધુને વધુ વેગવંતો બનવા લાગ્યો અને વર્ષ 2012મા દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન વધીને 44 લાખ લીટર થઈ ગયું હતું.

વર્ષ 1960ની શરૂઆતમાં દૂધસાગર ડેરીની આવક ફક્ત ત્રણ હજાર લીટર હતી. જે વર્ષ 2012માં એટલે કે બાવન વર્ષમાં 44 લાખ લીટર થઈ ગઈ હતી. દૂધ ઉદ્યોગ ફૂલ તેજીમાં હોવાથી દિલ્હી નજીક વધુ બે પ્લાન્ટ નાખ્યા હતા અને દિવસો વીતવાની સાથે જ સહકારી ક્ષેત્રમાં સરકારી રાજકારણ ભળતા દૂધ ઉદ્યોગને નજર લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે છેલ્લા છ વર્ષમાં 44 લાખ લીટર દૂધનું ઉત્પાદન ઘટીને 31 લાખ લીટર થઈ ગયું છે તો વળી દૂધ ઉત્પાદનની સામે દૂધનું વેચાણ પણ ઘટી ગયું છે.[:]