[:gj]પરિણીતા ગુમ થતા આહીર સમાજનું ગૃહમંત્રીને આવેદન[:]

[:gj]રાધનપુર, તા.04

આહીર સમાજના 50 આગેવાનો દ્વારા તાંજેતરમાં આહીર સમાજની એક પરણિત યુવતી ગુમ થયા બાબતે ગુરૂવારના રોજ ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી આવેદનપત્ર પાઠવીને ગુમ થયેલ યુવતીને શોધવા યોગ્ય કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી.

જામવાળાની એક પરણિત યુવતી ગુમ થયાની ઘટના ઘટી જે યુવતીનો આજદિન પત્તો લાગ્યો નથી અને તે બાબતે રાધનપુર, રાપર અને સાંતલપુર તાલુકાના આહીર સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહમંત્રીને રૂબરૂ મળી ગુમ યુવતીને હેમખેમ શોધવા મદદરૂપ થવા રજુઆત કરવામાં આવી હતી.[:]