[:gj]પોરબંદરનું અને ઉજ્જૈનના હરિસિદ્ધી મંદિરની વિક્રમાદિત્યની કથા[:]

[:gj]હરસિદ્ધી માતાજીની હાજરી દિવસે ગુજરાતમાં અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં હોય છે.

ભગવાન શંકરના પત્ની સતીના શરીરના ભાગો જે – જે જગ્યા એ સ્થિત થયા હતા એવા ૫૧ શક્તિ સ્તંભોની સ્થાપના થઈ છે. આ શક્તિ સ્તંભોમાનુ એક એ હરિસિદ્ધિ માતા જે ગુજરાત રાજ્યના દેવી ભૂમિ દ્વારકા જીલ્લા છે.

હરસિદ્ધિનું મંદિર મધ્યપ્રદેશમા સ્થિત ઉજ્જૈન તેમજ ગુજરાતના દ્વારકામા આવેલું છે. આમ બંને જગ્યાએ સ્થપાયેલુ છે.  રાજા વિક્રમાદિત્ય માતાને પોતાની અસીમ ભક્તિથી પ્રસન્ન કરીને પોતાની જોડે ઉજ્જૈન લઈ ગયા હતા. બંને મંદિરના પૃષ્ઠ ભાગ જે એક સમાન છે. ઉજ્જૈન રાજ્યના સમ્રાટ વિક્રમાદિત્ય પોતના કુળદેવી તરીકે પુજતા હતા. મહારાજ વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિ ની ભક્તિમા અતી લીન હતા. તે હર બાર વર્ષના સમયગાળા દરમિયાન પોતાનુ મસ્તિષ્ક કાપીને માતાના ચરણોમા અર્પણ કરતા હતા. માતાના ચમત્કારથી તેમનુ મસ્તિષ્ક પુનઃશરીર સાથે જોડાઈ જતુ.

આવુ મહારાજે ૧૧ વખત કર્યુ અને બારમી વખત રાજા એ મસ્તિષ્ક અર્પણ કર્યુ તે પુનઃશરીર સાથે ના જોડાયુ અને તે મૃત્યુ પામ્યા. હાલ પણ આ મંદિર મા ૧૧ સિંદુર લગાડેલ રોડ હાજરાહજુર છે. રાજા વિક્રમાદિત્ય ના કપાયેલા મસ્તિષ્ક છે. હાલ ના સમય મા પણ સંધ્યા વેળા એ ઉજ્જૈન મા અને પરોઢ વેળા એ ગુજરાત મા માતા ની પૂજા-અર્ચના થાય છે.

ગુજરાતના ત્રિવેદી કુળના લોકો હાલ પણ આ માત ને કુળદેવી તરીકે પૂજે છે.

જૈન ગૌત્રના લોકો પણ આ માતાજીમા વિશ્વાસ ધરાવે છે.

જહાર ડૂબી જતા

પોરબંદર નજીક કોયલા પર્વત સ્થિત માતાજીના નયનોનો પ્રકાશ આખા દરીયા સુધી સ્થિત થતો હતો. જેથી , કોઈ પણ જહાજ આ દરીયા તરફ આવે તો ડૂબી જતુ હતું. કચ્છના જગડુશાહ નામના વ્યાપારીની નાવ પણ ડૂબી ગયેલી હતી. બધા વ્યાપારીઓએ પર્વતથી નીચે નવા મંદિરનુ નિર્માણ કર્યુ હતું. પછી જહાજો ડૂબવાના પ્રસંગનો અંત થયો હતો.

કચ્છના જૈન વેપારી શેઠ જગડુશાના વહાણોનો કાફલો દરિયાઈ તોફાનમાં ફસાયો હતો. ત્યારે તેમણેમા હરસિદ્ધિનું સ્મરણ કર્યું હતું.શેઠ જગડુશાએ ઈસ. ૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.

યાદવોના દેવી

હરસિદ્ધિ દેવીની પૂજા –અર્ચના પ્રભુ શ્રી કૃષ્ણ તથા યાદવો દ્વારા કરવામાં આવતી હતી. આ દેવીને લોકો મંગલમૂર્તિ દેવી તરીકે ઓળખતા હતા. તેમના ધ્યાનથી પ્રભુ શ્રી કૃષ્ણને જરાસંઘનો વિનાશ કરવામા સફળતા મળી હતી. ત્યારબાદ યાદવો દ્વારા તેમણે હરસિદ્ધિ માતા નામ આપવામા આવ્યું હતું. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે.

રીદ્ર સાગરની સમાનતા

ઉજ્જૈન મા આવેલ માં હરસિદ્ધિ ના દેવાલયની પાછળ મહાકાલેશ્વર દેવાલય પશ્વિમી દિશા તરફ સ્થાપિત છે. આ બન્ને મંદિરો વચ્ચે જે સમાનતા છે તે છે રુદ્રસાગર. આ બેય મંદિરો મા માતા ગર્ભગૃહ મા શ્રીયંત્ર પર બિરાજમાન થયેલા છે. તંત્ર સાધના માટે પણ ઉજ્જૈન મા સ્થપાયેલ માતા હરસિદ્ધિ નુ મંદિર પ્રખ્યાત છે. કાલસર્પ ના દોષ ની મુક્તિ માટે પૂજા – યાચના કરવા માટે પ્રખ્યાત છે.[:]