[:gj]પ્રેમ કરવાના કારણે ગુજરાતમાં બળાત્કાર વધું – રૂપાણી સરકાર કહે છે[:]

[:gj]ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આંકડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બે નંબર પર સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. વિધાનસભામાં ભાજપ સરકારે જણાવ્યુ હતું કે, યુવાન છોકરા-છોકરીઓ પ્રેમલગ્ન માટે ઘરેથી નીકળી જાય ત્યારે બળાત્કારની કલમ નોંધાતી હોવાથી આ આંકડો વધારે આવે છે. 2014-’15માં બળાત્કારની 1097 ફરિયાદ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2015-’16માં 1103 ફરિયાદ નોંધાઇ હતી. આ આંકડાઓ દર વર્ષે વધતા જ રહ્યાં અને વર્ષ 2018-’19માં 1477 ફરિયાદ નોંધાઇ છે.[:]