[:gj]ફોસ્ફરસ ખાતરોના વધતા ખેડૂતો ફરી છાણીયા ખાતરના યુગમાં જઈ રહ્યાં છે[:]

[:gj]આંતરરાષ્ટ્રીય બજારોમા ડીએપી બનાવવા કાચામાલ તરીકે વપરાતા ફોસ્ફરીક એસિડ અને રોક ફોસ્ફેટ નાં વધી રહેલા ભાવોને કારને ફોસ્ફરસયુક્ત ખાતરોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્રારા ડીએપી ખાતરમા ૨૦ થી ૫૦ રૂપિયાનો નવો ભાવ વધારો ઝીંકાયો છે પરિણામે ખેડુતો માટે હવે ખેતી ખૂબ જ ખર્ચાળ બની છે. છેલ્લા એક વરસમાં ડીએપી તેમજ તેનાં ઘટક તત્વોનું સંયોજન ધરાવતાં ખાતરોમાં થઈ રહેલા બેફામ ભાવવધારાને કારણે ખેડૂતો પર ભારણ વધ્યું છે. ડીએપીની સાથોસાથ ફોસ્ફરસયુક્ત ખાતરોમા પણ ધરખમ ભાવ વધવાને પગલે અન્ય ખાતરોની ખરીદી પર પણ ખેડુતોએ વધું નાણાં ચૂકવવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે.

ખાતર વિતરણ કરતા સેન્ટરો પર જૂનો સ્ટોક હોવાથી જુના ભાવ પ્રમાણે વેચાણ ચાલી રહ્યુ છે.પરતું હવે પછી દિવેલાના વાવેતર કે નવી ઉગડતી રવિ સીઝનમાં આ કમ્મરતોડ ભાવ ખર્ચે જ ખેડૂતને છૂટકો રહેશે.અરવલ્લી જીલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનનું ૧,૮૭,૯૯૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. વાવણી કરાતા તમામ ઘાસચારા સહીતનાં પાકોમાં પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. જોકે અન્ય ખાતરો ની સરખામણીએ ડીએપી ખાતરનાં ભાવ ઉંચા રહેવાથી ખેડુતો ફોસ્ફરસસયુક્ત તત્વો ધરાવતાં અન્ય પૂરક ખાતરો જેવાકે એનપીકે (૧૦-૨૬-૨૬),એનપીકે (૧૨-૩૨-૧૬)અને એનપી(૨૦-૨૦-૧૩)નો ઉપયોગ પાયાનાં ખાતર તરીકે કરે છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ડીએપી બનાવવા ઉપયોગમાં લેવાતા કાચા માલ તરીકે વપરાતા ફોસ્ફરીક એસિડ અને રોક ફોસ્ફેટના બજારભાવ ઉંચકવાથી ફોસ્ફરસયુક્ત ખાતરોમાં થેલી દીઠ ૨૦ થી ૫૦ રૂપિયાનો ભાવ વધારો પાયાના ખાતરમાં વધારાયો છે. અત્યાર સુધી છાંણીયા ખાતરની અવેજીમાં ખેડુતો ફોસ્ફરયુક્ત ખાતરનો વપરાશ કરતા હતા. પરંતું આ ખાતરોના ભાવ પણ આસમાને આંબી જતાં ખેડુતોએ ખેતી કરવી મુશ્કેલ બની છે. મોઘાદાટ બિયારણો, વાતાવરણની અનિયમિતતા,પાણી તેમજ વીજળીની સમસ્યા વચ્ચે ખાતરોમાં કમ્મરતોડ ભાવ વધારાને કારણે જિલ્લાના ખેડુતો માટે ખેતી કરવી દુષ્કર બની છે.

ડીએપીમાં પ્રતિ ટન 2500નો વધારો

ડીએપી ખાતરનાં ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં ૧૨૯૦ રૂપિયે વેંચતા ડીએપી ખાતરનો નવો ભાવ ૧૩૪૦ રૂપિયા જાહેર કરાયો છે.પ્રતિબેગ ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાતાં ટન દીઠ ડીએપીનાં ભાવમાં ૨૫૦૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાવા પામ્યો છે. જેનાં કારણે ખાતર કંપનીઓ પાસેથી નવાં ભાવ મુજબ માલ લેવો પડે છે. એક લાખ હેક્ટરે 580 મેટ્રીક ટર ખાતર વપરાય છે. તે પ્રમાણે એક લાખ હેક્ટરે 1.50 કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે.

ભાવ વધતા વેપારીઓએ કાળા બજાર શરૂ કર્યા

1 સપ્ટેમ્બરથી ડીએપી ખાતરનાં ભાવ વધતા જૂનો સ્ટોક ધરાવતાં વેપારીઓએ પણ ભાવ વધારાનો લાભ લઇ અભણ ખેડૂતોને જુના સ્ટોકને નવો દર્શાવી છેતરી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. અંતરિયાળ વિસ્તારોમાં કેટલાંક વિક્રેતાઓ અભણ ખેડુતોને જુના ખાતરનો જથ્થો નવો દર્શાવી લાખોની કમાણી કરી રહ્યાં છે.ત્યારે આ અંગે જિલ્લાના નાયબ ખેતી નિયામક એ.પી.પટેલે ખેડૂતોને ખાતરની થેલી પર એમઆરપી નાણાં વિક્રેતાને ચૂકવવા જણાવ્યું હતુ.[:]