[:gj]બુટેલ ટ્રેનનું આંદોલન કરાતાં નેતાઓ મોદીના કારણે નજર કેદ[:]

[:gj]વલસાડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી ખેડૂતોને નજર કેદ કરી દેવાયા હતા. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો  બુલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરતાં હોવાથી આજરોજ વડા પ્રધાનના કાર્યક્રમ પહેલા વલસાડ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ, તેમજ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખને નજરકેદ કરતાં ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડા પ્રધાનના કાર્યક્રમમાં ખેડૂત સમાજ કોઈ અડચણ ઊભી કરવા માંગતો ન હતો આમ છતાં પોલીસે વલસાડ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલ, ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ (દેલાડ), તેમજ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ (પાલ) ને પોલીસે નજરકેદ કરી લીધા હતા. આટલું ઓછું હોય તેમ જયેશભાઈ પટેલનો અમદાવાદ હાઇકોર્ટમાં કેસની મુદત હોય ત્યાં પણ પોલીસ અધિકારીઓ તેની સાથે જાપ્તો રાખીને જતાં ખેડૂત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.[:]