[:gj]ભાજપના નેતાની કંપનીની રાઈડથી બેના મોત કેમ થયા[:]

[:gj]પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 38 લોકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી જતાં ફાઉન્ડેશન તૂટી ગયું અને બે ભાગ થઈ ગયા હતા અને રાઈડ નીચે પટકાઈ હતી. રાઈડ કરી રહ્યાં હતા તે નીચે પટકાયા હતા અને જેમાં બે મોત થયા હતા.

5.30 કલાકે રાઈડ તૂટી ત્યારે ચારેબાજુ લોકોની ચીસો સંભળાવા લાગી હતી. આખું કાંકરીયા તળાવ સાંજે 6 વાગ્યે મોજ માણી રહ્યું હતું ત્યારે જ ચીસો સંભળાતાં મુલાકાતીઓ ત્યાં દોડી ગયા હતા. તેથી કાંકરિયા ખાલી કરાવવાનું નક્કી કરાયું હતું.

2015થી લોલક રાઈડ ચાલુ હતી.

ઈજા પામેલા તમામ લોકોને એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિજય નહેરા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા એલ જી હોસ્પિટલ પહોંચી ગયા હતા.

એક મહિના પહેલાં આવું જ થયું હતું.

2 જૂન 2019ના રોજ ગયા મહિને રિવરફ્રંટ પરની રાઈડ પણ ખરાબ થઈ ગઈ હતી અને તેમાં લોકોને રેસ્ક્યુ કરીને બચાવવા પડ્યા હતા. ત્યાર બાદ આ ગંભીર ઘટના છે.

પહેલી વખત કાંકરિયા લેકફ્રંટ ખાલી કરાવાયું

15મી સદીનું જૂનું અને 2.5 કિ.મી. લાંબી કાંકરિયા તળાવની ખાલી કરાવી દેવાયું હતું. આવું પહેલી વખત થયું છે. દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કાંકરીયા કાર્નીવલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આમ લોકપ્રિય કાંકરીયા રવિવારના દિવસે ખાલી કરાવાયું હોય એવી પહેલી ઘટના છે. 10 વર્ષ પહેલાં 2008માં રૂ.30 કરોડના ખર્ચે તે બનાવાયું છે.

ઘનશ્યામ પટેલ અને ભાવેશ ઘનશ્યામ પટેલની અટકાયત કરી છે. રાઈડ ઓપરેટર કિશન મહંતી હતા.

ફરી કૌભાંડ એકવખત કૌભાંડ

કાંકરિયા લેક ફ્રન્ટના પરિસરમાં 2 વર્ષ સુધી જલધારા વોટર પાર્ક બંધ રાખ્યા બાદ હવે ફરી ચાલુ કરવા માટે 1 જૂન 2019માં દોઢ મહિના પહેલાં જ મનોરંજન સમિતિએ મંજૂરી આપી હતી. ફરી ભાજપના નેતા અને જુના કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલના સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને ૧૦,૧૯૪ ચો.મી.ની રૂ.૧૦૦ કરોડની કિંમતની જમીનમાં પર વાર્ષિક રૂ. ૨૮ લાખના ભાડે આપવાનું નક્કી કરાયું હતું. અગાઉ રૂ.18 લાખ મળતું હતું. મ્યુનિ.ને ભાડા કરતાં વધુ તો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળતો હતો. જુના કરારમાં ટેક્સ માફીની કોઇ જોગવાઇ ન હતી. જલધારા વોટર પાર્કના પ્રોપર્ટી ટેક્સ વસૂલવા મુદ્દે કોઇ ચોખવટ કરાઇ નથી જેથી મ્યુનિ.ને કરોડો રૂપિયાનું નુકશાન જવાનો ભય છે.[:]