[:gj]ભારતના દેવામાં 50 ટકાનો વધારો છતાં બેકાર યુવાનો પાસેથી 900 કરોડ ફી લીધી[:]

[:gj]ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે રૂ.૯૦૦ કરોડની લુંટ
ચલાવનાર ભાજપ સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે. વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦ હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી ભાજપ સરકારે રૂ.૫૦૦ એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મોટી ફટકાર લગાવી ૨૦૧૫ સુધી એસ.સી., એસ.ટી. અને મહિલા ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નહોતી પણ ભાજપ સરકારે ૨૦૧૮ માં રૂ.૨૫૦ ફી લેવાનું શરુ કર્યું
દેશમાં રેલ્વે ભરતી બોર્ડ દ્વારા વિવિધ કેડર ભરતી પરીક્ષામાં સરકાર માટે આવકનું સાધન બની ચુકી છે. ભાજપ સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં બેરોજગાર યુવાનો રેલ્વેમાં નોકરી માટે પોતાની ભવિષ્ય બનાવવા માંગે છે તેમની પાસેથી છેલ્લાં ચાર વર્ષમાં ૯૦૦ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ પરીક્ષા ફી પેટે લુંટ ચલાવી છે.

સરકાર ૨ કરોડ નોકરીઓ વર્ષે આપવાની વાત કરી સત્તામાં આવી હતી. હકીકતમાં સરકારે નોકરી આપવાનું એકબાજુ રહ્યું પણ નોકરી છીનવાનું કામ કર્યું છે. સરકારે દેશના યુવાનોને રાહત આપવાને બદલે પરીક્ષા ફીમાં ૮૫૦%નો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મુશ્કેલીમાં મૂકી લાખો બેરોજગાર યુવાનો પાસેથી ૯૦૦ કરોડની ઉઘાડી લુંટ ચલાવનાર  સરકારનો જવાબ  ગુજરાત કોંગ્રેસે માંગ્યો છે.

વર્ષ-૨૦૧૩ માં જે બેરોજગાર યુવાન-યુવતી રેલ્વેમાં નોકરી મેળવવા માંગતા હોય તેઓ પાસે પરીક્ષા ફી પેટે ૯ કરોડ રૂપિયા વસુલવામાં આવી હતી, જ્યારે પછીના ચાર વર્ષમાં એટલે ૨૦૧૮ સુધીમાં બેરોજગાર યુવાનો પાસે મોદી સરકારે ૯૦૦ કરોડ રૂપિયા જેટલી જંગી વસુલાત કરી છે. વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦ હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી સરકારે રૂ.૫૦૦ એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મોટી ફટકાર લગાવી છે. રેલ્વે પરીક્ષા બોર્ડે શરત રાખી હતી કે, બેરોજગાર પરીક્ષા આપે તો રૂ.૪૦૦ પરત આપવામાં આવશે અને જે પરીક્ષામાં ગેરહાજર રહેશે તેને પરીક્ષા ફી પરત મળશે નહિ. રેલ્વે ભરતી બોર્ડ દર વર્ષે પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. ૨૦૧૫ સુધી એસ.સી., એસ.ટી. અને મહિલા ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નહોતી પણ મોદી સરકારે ૨૦૧૮ માં રૂ.૨૫૦ ફી લેવાનું શરુ કર્યું. રેલ્વે પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા ફીના નામે કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવી રહ્યો છે. રેલ્વે ભરતી બોર્ડ જે લોકોએ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેમને બોર્ડના નિયમ મુજબ રૂ.૪૦૦ પ્રતિ પરીક્ષાર્થી પરત આપવાના નિયમને આજદિન સુધી અમલ કર્યો નથી.
સરકારમાં એક તરફ વિદેશ યાત્રા અને જાહેરાતો પાછળ રૂ.૬૬૦૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા. સરકારની નીતિના લીધે દેશ પર ૨૦૧૪ ની સરખામણીએ ૮૨ લાખ કરોડનું દેવું થયું એટલે કે, દેવામાં ૪૯%નો વધારો થયો. નોટબંધી અને જી.એસ.ટી.ની અવ્યસ્થાના કારણે ૨૦૧૮માં ભારતમાં મોદીજીની વાહવાહી કરવા રૂ.૨૦૦ કરોડની જુદી જુદી પ્રસિદ્ધિ માટેની સાહિત્ય પસ્તીમાં ગયું તો બીજી બાજુ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લુંટ ચલાવનાર મોદી સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે.

વર્ષ પરીક્ષા ફી વસુલાત
૨૦૧૩-૧૪ ૯,૭૪,૮૨,૯૭૭
૨૦૧૪-૧૫ ૭,૨૪,૨૯,૮૬૯
૨૦૧૫-૧૬ ૪૨,૪૫,૧૦,૮૦૦
૨૦૧૬-૧૭ કોઈ ભરતી નહિ
૨૦૧૭-૧૮ ૮૮૬,૮૫,૪૯,૦૦૦[:]