ભિલોડાના કમઠાડિયામાં વરસાદથી પાંચ મકાન ધરાશાયી

ભિલોડા, તા.૦૨ 

ભિલોડા તાલુકાના કમઠાડિયામાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસરમાં ખેડૂતોનો 80 હેકટરનો પાક ધોવાઇ ગયો હતો. જેમાં કાવાભાઈ કનકાભાઈ બુવળ, ગોબરભાઈ કોનાભાઈ બુવળ, મનજીભાઈ મોથલીયા, પોપટભાઈ મંગળાભાઈ મોડીયાના મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસર પંથકમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

વિસ્તારના અનેક ખેડૂતોના સોયાબીન,મગફળી એરંડા કપાસનો 70 હેકટરથી વધુ પાક પાણીમાં ગરકાવ થઈ નિષ્ફળ ગયો છે. ઝૂમસરમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ બેટમાં ફરી વળ્યાં છે. ખેતરોમાં બાંધેલા પશુઓ ને ગ્રામજનોએ બચાવી લીધા છે.