[:gj]માઇક્રો માઈનોરિટી પારસી કોમે સત્વ, તત્વ જાળવી રાખ્યું, ધર્માંતર ન કર્યું CM[:]

[:gj]પારસી કોમના  ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવાયો હતો. દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવ ઉજવાય છે. ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ,સદભાવ અને બંધુતાના  ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે. 3 દિવસીય ઉત્સવમાં હેરીટેજ વોક, ફોટો ગેલરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હંટ સ્પર્ધા, એન્ટીક ઘડીયાળ જેવી વસ્તુઓનું નિદર્શન-વેચાણ તેમ જ પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગીઓ  સાથે કલા સંસ્કૃતિનું પ્રદર્શન મેળો વગેરે યોજવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાંથી યાત્રાળુઓ અહિં પવિત્ર અગ્નિના દર્શન માટે આવે છે. પારસી સમાજના અદભુત પ્રદાનને  સમજી તેમના ગૌરવપુર્ણ ઇતિહાસને વિશ્વ વિખ્યા્ત બનાવવા ઉદવાડા ખાતે ઇરાનશાહ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,

૧૩૦૦ વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે  નીકળેલા  પારસીઓના આ  અગ્નિની સ્થાપના  ઉદવાડા  ખાતે કરવામાં આવી છે. વતન છોડી ગુજરાત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ  વતનથી દુર થવાની પીડા સમજી શકે.

પારસી બાંધવો પોતાનો ધર્મ સાચવવાની સાથે સાથે ધર્માન્તરણની વૃત્તિથી દુર રહયા છે. એટલું જ નહીં તેમણે બધા સાથે પ્રેમ અને કરૂણા દાખવી મીઠા સંબંધો જાળવ્યા છે અને બીજા બાંધવોની સંભાળ પણ  લીધી છે.

ધર્મ-રક્ષા માટે  વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્વે  સંવેદનશીલતા સાથે  તેમને નાગરિકતા આપવાના  નાગરિકતા બિલનો વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે.

પવિત્ર અગ્નિ પાવક સ્થળથી અગ્નિની અખંડ જયોતથી ગુજરાતના  વિકાસની જયોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત કરશે. માઇક્રો માઇનોરીટી હોવા છતાં પારસી સમાજના અનેક લોકોએ દેશ અને ગુજરાતના વિકાસમાં અનન્ય ફાળો આપ્યો છે. રતનટાટા, સાયરસ પૂનાવાલા, જનરલ માણેકશા, મેડમ કામા, નાની પાલખીવાલા સહિત અનેક લોકોના પ્રદાનને બિરદાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઇને આજ દિન સુધીના  વિકાસમાં પારસીઓના ફાળાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

પારસી કોમ  માંગનારી નહીં આપવામાં માનનારી  કોમ છે.  શાંતિ અને સદભાવનાપૂર્વક જીવન જીવવાની સાથે સાથે દરિયાદિલીથી સમાજના ઉત્થાન માટે અનેક ચેરીટી કામો કર્યા છે. સારો વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે.

રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીપયન-પારસી)ના સભ્ય  વડા દસ્તુર ખુરશેદ દસ્તુઓરે જણાવ્યું  હતું કે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. તેમણે ભારત દેશ પરત્ત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતીમાં લઘુમતી તરીકે અમને સચવેલા છે, એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા  છે. તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરાકરણમાં મુખ્યમંત્રીના તથા રાજય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યકત કરી હતી.[:]