દેશમાં ફરીથી મોદી સરકાર બની ગઇ છે અને તેમના ખાતાઓની ફાળવણી કરી દેવાઇ છે. જેમાં પહેલી જ વખત મંત્રી બનેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા છે. સુષ્મા સ્વરાજની જગ્યાએ એસ.જયશંકરનને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે.નિર્મલા સિતારમનને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે.
ટીમ મોદીને ખાતાઓની ફાળવણી
અમિત શાહને ગૃહમંત્રાલય
રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા
નિર્મલા સિતારમને નાણાં મંત્રાલય
એસ. જયશંકરને વિદેશ મંત્રાલય
નીતિન ગડકરીને રોડ ટ્રાન્સ્પોર્ટ અને MSME
સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટીલાઈઝર
રામવિલાસ પાસવાનને ગ્રાહક બાબતો, ખાદ્ય,જાહેર વિતરણ
નરેન્દ્રસિંહને કૃષિ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ
રવિશંકર પ્રસાદને ઈલેક્ટ્રોનિક્સ, IT, કાયદો અને ન્યાય
હરસિમરત કૌરને ખાદ્ય ઉત્પાદન (ફૂડ પ્રોસેસિંગ ઈન્ડ્રસ્ટીઝ )
થાવરચંદ ગેહલોત પાસે સામાજિક ન્યાય અને આધિકારીતા
રમેશ પોખરિયાને માનવ સંશાધન મંત્રાલય
અર્જુન મુંડાને આદિવાસી વિભાગ સોંપાયું
સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળવિકાસ, ટેક્ષટાઈલ મંત્રાલય