[:gj]મોદી સરકારની એલપીજી ગેસ યોજનામાં કૌભાંડ – CAG [:]

[:gj]પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકારના દાવા મુજબ દેશના 8 કરોડ પરિવારોને લાભ મળી ચૂક્યો છે. જોકે, હવે નિયંત્રક અને કેગની આ યોજનાને લઇને સવાલ ઉભા કર્યા છે.

કેગના અહેવાલ મુજબ ઉજજ્વલા યોજનાનો વ્યાપક દુરઉપયોગ થઇ રહ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદોની જગ્યાએ આ યોજનાનો લાભ તે લોકોને મળી રહ્યો છે, જેને જરૂરત નથી.

ગેસમાં પણ ગોટાળા

કેગે કહ્યું કે એલપીજી ગેસના નિરંતર ઉપયોગને પ્રોત્સાહિત કરવો એક મોટો પડકાર છે, કારણકે લાભાર્થીઓની વાર્ષિક સરેરાશ રિફિલ ખપતમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષના રિપોર્ટ મુજબ યોજના હેઠળ જે 1.93 કરોડ ઉપભોક્તાઓને કનેક્શન આપવામાં આવ્યું હતું તેમાથી એક ઉપભોક્તા વાર્ષિક 3.66 એલપીજી જ રિફિલ કરાવે છે.

કેગ મુજબ સોફ્ટવેરમાં ગડબડીના કારણથી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો 80 હજાર કનેક્શન બહાર પાડવાની અનુમતિ આપી છે. આ રીતે 8.59 લાખ કનેક્શન તે લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા હતા જે જનગણના 2011ના આંકડા અનુસાર નાબાલિક હતા.

યોજના હેઠળ આવનાર 13.96 લાખ ઉપભોક્તા એક મહિનામાં 3-41 સુધી એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી રહ્યા છે. જ્યારે ઇન્ડેન અને એચપીસીએલના આંકડા મુજબ 3.44 લાખ એવા ઉપભોક્તાઓનના મામલા આવ્યા છે કે જ્યા એક દિવસમાં 2-20 એલપીજી રિફિલ ભરવામાં આવી રહ્યા છે. જ્યારે તેમનું કનેક્શન એક સિલિન્ડર વાળું છે.

મોટી સંખ્યામાં ઘરેલું સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ થઇ રહ્યો છે. તે મુજબ 1.98 લાખ ઉપભોક્તા વર્ષમાં 12થી વધારે સિલિન્ડર રિફિલ કરાવી રહ્યા છે અને તે તપાસનો વિષય છે. પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના હેઠળ મહિલાઓ એલપીજી કનેક્શન બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ કેગના રિપોર્ટ કહે છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સોફ્ટવેરમાં ઇનપુટ સત્યાપન તપાસના ઘટાડાના કારણે પુરૂષ 1.88 લાખ કનેક્શન બહાર પાડવામાં આવ્યા હતા.[:]