[:gj]વડગામના ડેપ્યુટી સરપંચ બિનહરિફ [:]

[:gj]વડગામ, તા.૧૫

વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની અઢી વષૅની મુદત પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષ માટે ગુરુવારે ડે.સરપંચ માટે એક જ ફોર્મ આવતાં તાલુકા પંચાયત નાયબ ટીડીઓ અને ચૂંટણી અધિકારી જે.સી.વળાગાંઠએ ડે.સરપંચ તરીકે ભીખા પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા હતા. જેમાં સરપંચ ભગવાનસિંહ પી.સોલંકી, પંચાયતના સભ્ય નાથુસિંહ સોલંકી, પૂર્વ ડે.સરપંચ પરબખાન બિહારી, ડી.એફ.પટેલ, તલાટી એમ.કે.આસેડિયા, કેશરસિંહ, સામંતસિંહ સહિત અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.[:]