[:gj]સરકાર સામે વિરોધ કરવા ફરી દેખાયો જનતા કફર્યું [:]

[:gj]મોડાસા શહેરમાં બજારમાં જનતા કર્ફ્યુ હતો. મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોજા રાખી વિરોધ નોંધાવ્યો હતો. CAA અને NRC ના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો.

નાગરિક કાયદાના સમર્થનમાં ભાજપની નાગરિક જાગરણ સમિતિ દ્વારા રેલી બાદમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા શુક્રવારે સ્વંયભૂ બંધ અને જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજની દુકાનો બંધ રહી હતી

મખદૂમ ચોકડી, કોલેજ રોડ ,માર્કેટયાર્ડ વિસ્તાર,સહીત લઘુમતી વિસ્તારમાં જનતા કર્ફ્યુ અને સજ્જડ બંધ જોવા મળ્યો હતો. દેશના કેટલાક ભાગમાં જ્યારે હિંસક આંદોલન થઈ રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં મુસ્લીમ સમાજે શાંતીપૂર્ણ બંધ પાળ્યો હતો. ભાઈચારો જોવા મળ્યો હતો

કાયદાની જોગવાઈઓ જોતા જો નવી સીટીઝનશીપ આપવામાં આવે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિમુક્ત વિચરતી જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકોને પણ મળતા તેઓના અગાઉના, નોકરીના તેમજ તેમની જમીનના લાભો પણ ઝૂંટવાઈ જાય તેમ છે.

તે અંગે કોઇ પણ જાતનો ખુલાસો આ કાયદામાં કરવામાં આવેલ નથી. તેમ જોતા આ કાયદો ફક્ત મુસ્લિમોને જ નહિ પરંતુ દેશની હિન્દુ સમાજ ના લોકોનું પણ આ કાયદાથી અધ:પતન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે.[:]