[:gj]સીબીઆઈના ડરથી પી ચીદ્મબરમ ભાગ્યા તેવી જ રીતે ત્યારે અમીત શાહ પણ ભાગી ગયા હતા[:]

[:gj]

અમદાવાદ, તા:૨૨
કેન્દ્રના પુર્વ ુગૃહ અને નાણા પી ચીદ્મબરમ મંત્રીને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ  ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચીદ્મબરમ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવુ જ 2010માં ગુજરાતમાં પણ થયુ હતું, ગુજરાતના બહુ ચર્ચીત સૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશથી તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વારા 2010માં ગુજરાતના ગૃહ મંત્રી અમીત શાહને સમન્સ મોકલી હાજર થવા ફરમાન કરતા તેઓ પણ ચીદ્મબરમની જેમ ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને દિવસો પછી અચાનક અમદાવાદની સ્થિત ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે હાજર થયા હતા, જયાં તેમણે પણ ચીદ્મબરમની જેમ તેઓ આ મામલે નિદોર્ષ હોવાનું જણાવી સીબીઆઈ રાજકિય ઈશારે તેમને સંડોવી રહી હોવાનો આરોપ મુકયો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચીદ્મબરમ હતા અને આજે જયારે અમીત શાહ ગૃહમંત્રી છે.
2005માં રાજસ્થાનના ગેંગસ્ટર સૌરાબઉદ્દીન શેખને ગુજરાત પોલીસે આતંકી કહી ઠાર માર્યો હતો, ત્યાર બાદ તેની પત્ની કૌસરની હત્યા કરી તેને સળગાવી દીધી હતી, 2006માં સૌરાબઉદ્દીનના સાથી તુલસી પ્રજાપતિને પણ કથીત અથડામણમાં મારી નાખ્યો હતો, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા આ મામલાની તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઈમે કરી હતી, પણ તપાસ અધુરી થઈ છે તેના કારણસો સર સુપ્રીમ કોર્ટે આ તપાસ સીબીઆઈને સોંપી હતી, જેની તપાસ કરવા સીબીઆઈના આઈજીપી કંદાસ્વામી અને એસપી અમિતાભ ઠાકુર ગુુજરાત આવ્યા હતા, આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ સૌથી પહેલા ગુજરાતના આઈપીએસ અભય ચુડાસમાની ધરપકડ કરી હતી, ગુજરાતમાં એન્કાઉન્ટરનો દૌર શરૂ થયો ત્યારે ગૃહમંત્રી અમીત શાહ હોવાને કારણે સીબીઆઈ આ મામલે તેમની તપાસ કરવા માગતી આથી એસપી અમિતાભ ઠાકુરે અમીત શાહને સીબીઆઈ સામે હાજર થવા સમન્સ મોકલ્યુ હતું.
સીબીઆઈ દ્વારા સમન્સ મોકલવામાં આવતા અમીત શાહ પોતાના સરકારી બંગલાને છોડી નિકળી ગયા હતા, તેમને શોધવા માટે સીબીઆઈએ ગાંધીનગરના સરકારી બંગલા ઉપરાંત અમદાવાદના નારણપુરાના બંગલાની પણ તપાસ  કરી હતી, કોઈ પણ રાજયના ગૃહમંત્રી ફરાર થઈ જાય તેવી આ પહેલી ઘટના હતી, જો કે થોડા દિવસ બાદ ભાજપ કાર્યાલય દ્વારા પત્રકારોને સુચના આપવામાં આવી હતી કે તત્કાલ એક પ્રેસ કોન્ફરન્સ છે અને પત્રકારો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયુ તો ત્યાં અમીત શાહ હાજર હતા, પત્રકારોને સંબોધતા અમીત શાહે સ્પષ્ટતા કરી હતી  કે તેઓ ફરાર થયા ન્હોતા પણ વકિલોની સલાહ લેવા માટે ગયા હતા, અમીત શાહે ત્યારે સીબીઆઈ કોંગ્રેસનો પોપટ છે અને સીબીઆઈ એટલે કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન  છે તેવો આરોપ મુકયો હતો. ભાજપ કાર્યાલયથી નિકળી તેઓ સીધા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ ગયા હતા જયાં તેમને શરણાગતી સ્વીકારી હતી.
સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા, સાબરમતી જેલમાં ત્રણ મહિના રહ્યા પછી ગુુજરાત હાઈકોર્ટે તેમને ગુજરાત બહાર રહેલાની શરતે જામીન આપ્યા હતા જેના કારણે અમીત શાહ દિલ્હી જતા રહ્યા હતા આ સમય તેમના અને નરેન્દ્ર મોદી સુર્વણકાળ બન્યો જેમાં અમીત શાહે દિલ્હી બેસી કેન્દ્ર સરકાર હસ્તગત કરવાનો સમય ઝડપી લીધો અને પોતાનો પગદંડો જમાવી દીધો હતો, આ બધુ થયુ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પી ચીદ્મબરમાં હોવાને કારણે અમીત શાહ માની રહ્યા હતા કે પોતાને પડેલી તકલીફો માટે ચીદ્મબરમાં જવાબદાર છે, દસ વર્ષ પછી સમય બદલાયો, અમીત શાહ ગૃહમંત્રી  થયા અને ચીદ્મબરમાં સીબીઆઈના આરોપી બન્યા છે.

[:]