[:gj]સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પટેલે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહને તાત્કાલીક અસારથી મંત્રી પદથી હટાવી દીધા છે. વારંવાર સુચનાઓ આપ્યા છતાં પણ સ્નેહલ શાહ દ્બારા પક્ષને લગતા સંદેશા કે ફોન તેમની મંજૂરી લીધા વિના જ કાર્યકરોને કરવામાં આવતા હોય છે. પક્ષની અંદર વિખવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા હતા. એટલા માટે તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. સ્નેહલ શાહે પડકાર ફેંકીને કહ્યું છે કે, જિલ્લા પ્રમુખને મને આ હોદ્દા પરથી દૂર કરવાનો કોઈ પણ અધિકાર નથી.[:]