સોનું ખરીદવું હોય તો આધાર બતાવવું પડશે

ભાજપ સરકાર સોના-ચાંદીની ખરીદી પર પાન અને આધાર નંબર ફરજિયાત કરવા જઈ રહી છે. નાણા મંત્રાલયે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. આધાર કાર્ડ અને આઈડી પ્રુફ પણ સામેલ કરવામાં આવી શકે છે. નોટબંદીના કારણે કાળા નાણાં કાબુમાં આવ્યા ન હોવાથી હવે સોનાની ખરીદી ઉપર નવો નિયમ આવતાં હજારો કારીગરોને અસર થઈ શકે છે.

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. જૂલાઈ 2019માં રજૂ કરેલા બજેટમાં સોના-ચાંદી પર આયાતી કિમત 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધું છે. સોના-ચાંદીની તસ્કરી વધી ગઈ હતી. વિદેશથી વેરો ભર્યા વગર સોનું મોટા પાયે આયાત થઈ રહ્યું છે. જેમાં કેટલાંક ખાનગી બંદરો પરથી સોનું ઘુસાડવામાં કેટલાંક રાજકીય નેતાોની સીન્ડિકેટ કામ કરી રહી છે. મોદી કે સીતારમન તેને અંકૂશમાં રાખી શકે તેમ નથી.

કાળા નાણાં અને વિદેશ પૈસા મોકલવા માટે મોદી સરકાર ઓગસ્ટ 2017માં 50 હજાર રૂપિયાથી વધારેના જ્વેલર્સ ખરીદીને પીએમએલએ એક્ટ લાવી હતી. ટેકનિકલ કારણોએ તેને ખતમ કરી નાખ્યો. હાલના સમયમાં બે લાખથી વધુના સોના-ચાંદીની ખરીદી પર પાન નંબર અનિવાર્ય છે. જો કે, જ્વેલર્સ લાંબા સમય સુધી આ મર્યાદાનો વિરોધ કરી રહ્યા છે. જ્વેલર્સોનું કહેવું છે કે, આ મર્યાદા વધારી પાંચ લાખ કરવામાં આવે.

નવા નિયમથી સામાન્ય લોકોને તકલીફ થશે. ભારત એક પરંપરાનો દેશનો છે અહીં દિકરીના લગ્નમાં 2 લાખ સુધીની જ્વેલરી આપવામાં આવે છે. જો આ નિયમ બનશે તો સામાન્ય લોકોને પોતાનો આધાર નંબર આપવો પડશે.