[:gj]હીજડા યુનિવર્સિટી બનશે, શું શિખશે કોલેજમાં ? [:]

[:gj]હીજડા  સમુદાય માટે દેશની પહેલી વિશ્વ વિદ્યાલય ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. વિશ્વ વિદ્યાલયમાં સમુદાયના સ્ટુડન્ટ, ધોરણ-1થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે. ત્યાં સુધી કે જો તે કોઈ વિષય પર રિસર્ચ કરવા માંગે છે તો વિશ્વ વિદ્યાલય તેમને વિસારદની પદવી આપશે. ત્યાં નજીક જ એક સમયે વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠ હતી.

અત્યાર સુધી દેશમાં કોઈ પણ એવી વિશ્વ વિદ્યાલય નથી, જે માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે વિશેષ રીતે બનાવવામાં આવી હોય. આ વિશ્વ વિદ્યાલય ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફજીલનગર બ્લાકમાં બનશે. તેને અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ બનાવી રહ્યું છે.

ટ્રસ્ટના અધ્યક્ષ ડો. કૃષ્ણ મોહન મિશ્રએ જણાવ્યું કે, આ પોતાની રીતે દેશની પહેલી વિશ્વ વિદ્યાલય હશે, જ્યાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્ટુડન્ટ્‌સ શિક્ષા પ્રાપ્ત કરી શકશે. તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે ૧૫ જાન્યુઆરીથી આ વિશ્વ વિદ્યાલયમાં બે સ્ટડન્ટ્‌સને એડમિશન અપાશે, જે આ સમુદાયના હશે અને ફેબ્રુઆરી તથા માર્ચથી અન્ય ધોરણો શરૂ થઈ જશે.

સાંસદ ગંગાસિંહ કુશવાહાએ કહ્યું કે આ સમુદાયાન લોકોને શિક્ષા પ્રાપ્ત થશે તે દેશને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.

સમુદાયના લોકો શિક્ષા પ્રાપ્ત કરી શકશે અને તેમને સમાજમાં સન્માન મળશે. શિક્ષામાં બળ છે એન તે આ સમુદાયના લોકોનું જીવન બદલશે ઉપરાંત બીજાના જીવન ઉપર પણ તેનો સકારાત્મક પ્રભાવ પડશે.

 [:]