[:gj]7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે[:]

[:gj]ગાંધીનગર, તા. 18  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે. સરકાર 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરશે અ ત્યારબાદ થયેલા રજિસ્ટ્રેશનના આધારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગોડાઉનની જવાબદારી જે તે વિસ્તારના જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાજ્યમાં આ વર્ષે 15 લાખ અને 50 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને થયેલા વાવેતર પૈકી સરકાર 7.97 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. રજિસ્ટર ખેડૂતોને મગફળી વેચવા માટે એસએમએસ અને ટેલિફોન દ્વારા જાણ કરવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અંતર્ગત 5090 રૂપિયાના ટેકાનાભાવે મગફળના પાકની સરકારા ખરીદી કરશે.

સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગને ટેકાના ભાવે મગફળી કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એક મહિના સુધી ખેડૂતોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ સોમવારથી શુક્રવાર સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્ય સરકાર કરશે.

 [:]