[:gj]ગુજરાત બંધમાં લોકોની વધેલી મુશ્કેલી દૂર કરવા સરકારનો નિર્ણય [:]

[:gj]વિશ્વવ્યાપી કોરોના વાયરસની સામે સાવચેતી અને સતર્કતાની જનજાગૃતિ દ્વારા વિજય મેળવવા ભારતભરમાં લોકડાઉનની સ્થિતી જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં આ ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને સરળતાએ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં વ્યવસ્થાઓ ગોઠવાઇ છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમિટી બેઠકમાં પણ રોજબરોજની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા સાથે પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિક સુવિધાના નિર્ણયો પણ લેવામાં આવે છે. કોર કમિટીની આ બેઠકમાં ગઇ મોડી સાંજે લીધેલા નિર્ણયોની ભુમિકા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી. રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં એપ્રિલ માસમાં અંત્યોદય અને ગરીબ પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ વિનામૂલ્યે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ અગાઉ કર્યો છે.

તેમણે એક વધુ સંવેદનાસ્પર્શી નિર્ણય એવો પણ કર્યો છે કે, આ એક માસ પૂરતી આવી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉદાત્ત ભાવથી એપ્રિલ-ર૦ર૦ના માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરાશે નહિ.

આ લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના જે યાત્રિકો કે મુસાફર પરિવારો અન્ય રાજ્યોમાં સ્થગિત થઇ ગયા છે તેમને ત્યાં કોઇ અગવડ રહેવા-જમવાની ના પડે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે. આવા અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા પરિવારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક સાધી શકશે.

જીવન આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે. આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવે છે.

હાલની સ્થિતીમાં બિયારણ, ખાતર અને પાક જંતુનાશક-પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરીને તે પણ ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળી રહે તે સુનિશ્વિચત કરવામાં આવ્યું છે.

શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં પ૧.૩૦ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. સમગ્ર ગુજરાતમાં શુક્રવારે ૮પ હજાર ૧૩૩ કવીન્ટલ શાકભાજી અને ૪૮૩ર કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો છે. જેમાં ર૩૧૮૮ કવીન્ટલ બટેટા, ૯૬૮પ કવીન્ટલ ડુંગળી, ૯૪પ૯ કવીન્ટલ ટામેટા અને ૪ર૮૭૧ કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે.

ઉપરાંત ૭૦પ કવીન્ટલ સફરજન, ૭૪૭ કવીન્ટલ કેળાં અને ૩૩૮૬ કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં ૬૯ માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે.[:]