ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે.
ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ કંપની તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાયવેટ લિમિટેડની જોઇટ વેન્ચર SPV વચ્ચે આ કરાર થયા છે.
તો નર્મદા બંધ શા માટે બનાવ્યો ?
રાજ્યવ્યાપી વોટર ગ્રીડ તથા નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપીને નર્મદા યોજનાને બાજુ પર મૂકી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં આવા પ્લાન્ટ કાર્યરત થતાં ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે, એવું 30 નવેમ્બર 2019ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. આવું નર્મદા બંધ બન્યો ન હતો ત્યારે કહેવામાં આવતું હતું. નર્મદા બંધ બની રહ્યો હતો ત્યારે ભાજપની સરકારે વારંવાર કહ્યું હતું કે હવે પાણીની સમસ્યા નહીં રહે. તેના બદલે સરકાર અબજો રૂપિયા દરિયાના ખર્ચાળ પાણી પાછળ ખર્ચી રહી છે.
10 પ્લાન્ટનું રૂ. 20 હજાર કરોડ ખર્ચ
સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની જરૂરિયાત સંતોષવા દરિયા કિનારે 100 એમએલડી 10 ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના છે. તેનો મતલબ કે 1000 એમએલડી પાણી શુદ્દ કરાશે. એક એમએલડી માટે રૂ.10 કરોડ લેખે રૂ.10 હજાર કરોડનું ખર્ચ સરકાર કરશે. હવે સવાલ એ છે કે તો પછી નર્મદા યોજના શા માટે બનાવી ? તેમાંથી જ પિવાનું પાણી આપવાનું હતું તો આ રૂ.10 હજાર કરોડ પ્રજાના ખર્ચાય રહ્યાં છે. વળી 27 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચાલતાં હોય છે તેની વીજળી અને સ્ટાફ તથા જાળવણીનું ખર્ચ ગણવામાં આવે તો 27 વર્ષમાં બીજા રૂ.10 હજાર કરોડનું ખર્ચ થશે તેથી કુલ ખર્ચ રૂ.20 હજાર કરોડ ખર્ચ થઈ જશે.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ નજીક રોજના 7 કરોડ લીટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક 7 કરોડ લીટર તેમજ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાલી ગામ પાસે 10 કરોડ લિટર અને ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે 3 કરોડ લીટર પ્રતિદિન સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવતા ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાવાના છે. 1 એમએલડી પાછળ રૂ.10 કરોડનું ખર્ચ અને વીજળી બીલ આવે છે.
પરવાનગી મળ્યા બાદ પ્લાન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે અને રોજનું ર૭ કરોડ લીટર દરિયાનું ખારૂં પાણી પીવાલાયક મીઠું પાણી બનશે. આ ચારેય ડીસેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સાથે સાંકળીને સૌરાષ્ટ્ર-કચ્છને પાણી અપાશે.
જોડિયામાં કામ ચાલું
ગુજરાતમાં જોડીયા નજીક 100 એમ.એલ.ડી.નો ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની ગતિવિધિઓ પ્રગતિમાં છે. ઉપરાંત દહેજ સહિત કચ્છ-સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે 10 પ્લાન્ટ 100 એમ.એલ.ડી.ના સ્થાપવાના છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વિશ્વના સૌથી વિશાળ એવા સોરેકના આ ડિસેલીનેશન પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના પ્લાન્ટસમાં કરીને ક્ષમતા વર્ધન પણ કરી શકાય તેમ છે.
નર્મદા બંધ નીચે એશિયાનો પ્રથમ ખારા પાણીનો પ્રોજેક્ટ
ભરૂચ જિલ્લાના દહેજમાં રૂ.881 કરોડના ખર્ચે 30 નવેમ્બર 2019માં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું કામ શરૂં થયું હતું. દહેજ ઔદ્યોગિક વસાહતને 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. ગંભીર બાબત એ છે કે ભરૂચ એ નર્મદા બંધની નીચે આવતો નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવતો દહેજ છે. જ્યાં ગ્રેવિટીથી મફતમાં પાણી આપી શક્ય તેમ છે. ત્યાં આવો પ્રોજેક્ટ શરૂં કરાયો છે. તો શું નર્મદા યોજના નિષફ્ળ છે તે પછી પાણી પાછળ ખોટા ખર્ચ કરીને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ?
પ્રોજેક્ટ પડતો મૂકાયો
ભરૃચમાં દહેજ સેઝમાં રૂપિયા બે હજાર કરોડના ખર્ચે એશિયાનો સૌથી મોટો પાણી શુધ્ધિકરણનો પ્લાન્ટ સ્થાપવા વર્ષ 2012માં મોદીના સમયમાં જાહેરાત કરાઈ હતી. જાપાન અને સીંગાપોરની કંપનીઓનુ એક સંયુકત સાહસ દહેજ સ્પેશ્યલ ઈકોનોમી ઝોનમાં એશિયાના સૌથી મોટા ડિસેલીનેશન પ્લાન્ટ માટે 40 કરોડ ડોલરનુ રોકાણ કરનાર હતા. આ પ્રોજેકટમાંથી દહેજના એકમોને 27 વર્ષ સુધી પાણી પુરૃ પડાનારૃ હતુ. જેમા કોન્સોર્ટીયમ ર્સ્વિણમ દહેજ સ્પ્રીંગ ડિસેલીનેશન પ્રાઈવેટ લીમીટેડ, જાપાનની હીટાચી, ઈટોચો અને સીંગાપોરની હાઈફલક્ષનો સમાવેશ થતો હતો. આ પ્રોજેકટ અને એમઓયુ થયા પણ તેનો ક્યારેય અમલ ન થયો.