[:gj]ટંકારામાં મેલીવિદ્યાની નનામી કાઢવામાં આવી, ભૂતપ્રેતનું સરઘસ કાઢી જનજાગૃતિ કાર્યક્રમ[:]

[:gj]ટંકારા,તા:૨૭ ટંકારામાં ભૂતપ્રેત, દોરાધાગાની અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે વિજ્ઞાનજાથા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં લોકોનો ભય દૂર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિજ્ઞાનજાથા દ્વારા સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગવામાં આવ્યા હતા, તેમજ નનામી પર ઉકાળેલી ચાની ચુસકી મારીને લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભૂત-પલિતોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. વિજ્ઞાનજાથા દ્વારા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર લોકોના ડરને દૂર કરવાનો અને લોકોને અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાથી દૂર રાખવાનો છે.[:]