[:gj]સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં આપદ્યાત કરી લેતા તેનો પરિવાર શોકમાં છે. એકટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી ગૂંગળામણ થતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જયારે સુશાંતના ઘરમાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને ત્યાંથી 5 ડાયરી મળી આવી છે.
હવે આ ડાયરીમાં તેની લાઈફ સાથે જોડાયેલા દરેક એન્ગલની તપાસ કરવામાં આવશે. મુંબઈ પોલીસ અત્યારસુધીમાં આ મામલે 10 લોકોના નિવેદન લઈ ચૂકી છે. પોલીસ હજુ તે લોકોની પૂછપરછ કરશે, જે છેલ્લા 10 દિવસમાં તેને મળ્યા હતા અથવા તેની સાથે વાતચીત કરી હતી.
પોલીસે કાસ્ટિંગ ડિરેકટર મુકેશ છાબડાની 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે એકટરને પ્રોફેશનલી જાણતો હતો. જયારે તેનો બર્થ ડે હતો ત્યારે સુશાંતે તેને કોલ કર્યો હતો અને તેની સાથેની છેલ્લી વાતચીત આ જ હતી. સુશાંતને કામ નહોતું મળી રહ્યું એટલે તેણે આવું પગલું ભર્યું તેવી વાત મીડિયામાં ચાલી રહી છે, જો કે આ મામલે મુકેશે કંઈ કહ્યું નહોતું.
સુશાંત રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતી, તે વાત છેલ્લા દ્યણા સમયથી ચર્ચાઈ રહી હતી અને હાલમાં તે બાંદ્રા પોલીસ સ્ટેશન બહાર સ્પોટ થઈ હતી. જયાં તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. પોલીસે જે 10 લોકોના નિવેદન લીધા છે તેમાં એકટરના પરિવારના સભ્યો. ડોકટર, મેનેજર અને હાઉસ હેલ્પનો પણ સમાવેશ થાય છે.[:]