[:gj]લોકડાઉનમાં કોંગ્રેસના કાઉન્સલર ધર્મેન્દ્ર સોનકરની ગોળી મારી હત્યા[:]

[:gj]મધ્ય પ્રદેશમાં લોકડાઉન વચ્ચે જબલપુરમાં ભટાલીયા વિસ્તારમાં કોંગ્રેસના રાધાકૃષ્ણ માલવીયા વોર્ડના કાઉન્સિલર ધર્મેન્દ્ર સોનકર નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જબલપુરમાં ગુરુવારે (26 માર્ચ, 2020), કોંગ્રેસના નેતા તેમના ઘરની બહાર મંદિરના ઓટલે પર બેઠા હતા. હુમલો કરનારા  મોનુ સોનકર અને તેના કાર્યકર્તાઓ  ગુનેગારોએ તેમના પર ફાયરિંગ કોંગ્રેસના કાઉન્સિલરને છાતી અને જાંઘમાં બે ગોળી મારી હતી. ધર્મેન્દ્ર સોનકરને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. લોકો રોષે ભરાયા હતા. જૂની દુશ્મનીને કારણે હત્યા આચરવામાં આવી છે.

રિવોલ્વરથી આરોપીની પાછળ દોડી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ધર્મેન્દ્ર સોનકરના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ બધાને પરત મોકલી દીધા હતા. મોનુ પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કર્યું. પોલીસ આરોપી મોનુ સોનકરની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મોનુ સોનકર અને ધર્મેન્દ્ર સોનકર વચ્ચે લાંબા સમયથી જમીન વિવાદ ચાલતો હતો.[:]