[:gj]અમદાવાદ, 19 જૂન 2020
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે.
રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવણી નહીં કરે તેમજ તેમણે સૌને અપીલ કરી છે કે આ દિવસે ઉજવણીના કોઈ જ કાર્યક્રમના કરી તકલીફો, સમસ્યાઓનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકો માટે મદદ અને રાહતકાર્ય કરવાની અપીલ કરી છે.
રાહુલ ગાંધી એ અપીલ કરી છે કે આ દિવસે આપણા બહાદુર જવાનોના સન્માનમાં નિસહાય અને ગરીબો માટે અનાજની કીટ વિતરણ કરવા તેમજ રાહતના રસોડા જેવા સેવાકીય કાર્યક્રમ ચલાવવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ખાસ એમને ખાસ જણાવ્યું છે પક્ષના કાર્યક્રમો વિકટ સમયમાં નિસહાય- વંચિત અને તકલીફોનો સામનો કરી રહેલા લોકોને સેવાકીય હેતુથી કરવામાં આવનાર છે, જેમાં કેક કટિંગ, સૂત્રોચ્ચાર તેમજ શુભકામના સંદેશના બેનરો લગાવવા જેવી કોઈપણ ઉજવણી કોઈપણ સ્થાન પર કરવામાં ન આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિઓ, ફ્રન્ટલ- સેલ- ડિપાર્ટમેન્ટ તથા તાલુકા કોંગ્રેસ સમિતિઓ સેવાકીય કાર્યક્રમ શરૂ કરતાં અગાઉ શહીદ જવાનોની યાદમાં 2 મિનિટનું મૌન અને પ્રાર્થના કરવી.[:]
![[:gj]કોંગ્રેસની ગુજરાત યાત્રાથી જનતા બોલવા લાગી, ભાજપ સરકારને ચૂપ કરાવી[:en]Congress’s Gujarat Yatra has empowered the public, silencing the BJP govt[:hn]कांग्रेस की गुजरात यात्रा से जनता बोलने लगी, भाजपा सरकार को चुप कर दीया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE33.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 કરોડનું ખર્ચ કર્યું[:en]Mansukh Vasava’s mistake exposed Modi, spent Rs 25 crore on the program[:hn]मनसुख वसावा की गलती ने मोदी की पोल खोली[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/%E0%A4%B5%E0%A4%B8%E0%A4%BE%E0%A4%B5%E0%A4%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]લોકહિત હોય એવી કોંગ્રેસની તમામ પ્રસનોટ [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/11/CONGRESS-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે?[:en]Gujarat BJP President Patil won by stealing 12 percent votes?[:hn]गुजरात भाजपा अध्यक्ष पाटिल ने 12 प्रतिशत वोट चुराकर जीत हासिल की?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/08/vot-chori.jpeg?resize=218%2C150&ssl=1)