[:gj]અમદાવાદના ૨૯ વૃધ્ધોને કલેક્ટરે ન્યાય આપ્યો [:]

The collector gave justice to the six elderly persons from Ahmedabad

[:gj]વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર અસહાય માતા-પિતાની સંપતિ તેમના સંતાનો દ્વારા પચાવી પાડવાની ઘટના બને છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા ‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા છેલ્લા બે માસમાં 29 વૃધ્ધ માતા-પિતાની મેન્ટેનન્સ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિક તેમના સંતાન વિરુદ્ધ નિભાવ/ ભરણપોષણ માટે ટ્રિબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરી શકે છે. સંતાનની વ્યાખ્યામાં જૈવિક સંતાન, ઓરમાન સંતાન, દત્તક સંતાન, પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રીનો સમાવેશ થાય છે.
પૌત્ર,પુત્રી, પ્રપૌત્ર કે પ્રપૌત્રી અરજી કરનાર વયોવૃદ્ધ માતા-પિતાનો નિભાવ કે ભરણપોષણ કરવા કાયદાથી બંધાયા છે. ઉક્ત કાયદામાં ખોટી રીતે પચાવી પાડેલ મિલકત, સંપત્તિના હસ્તાંતરણને નિષ્પ્રભાવી જાહેર કરી શકાય છે.[:]