[:gj]કેરળ, કર્ણાટકમાં અલ કાયદાના હુમલાની યોજના; દક્ષિણ ભારતમાં ISISના 200 ટેરેરિસ્ટ હાજર: UN રિપોર્ટ[:]

[:gj]યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે છે અને એમ પણ નોંધ્યું છે કે ભારતીય ઉપખંડમાં અલ કાયદાની આતંકવાદી સંગઠન આ વિસ્તારમાં હુમલાની યોજના ઘડી રહી છે. છે.

માનવામાં આવે છે કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના 150 થી 200 આતંકીઓ છે. ISIS, અલ-કાયદા અને સાથી વ્યક્તિઓ અને સંસ્થાઓને લગતી વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધોની દેખરેખ ટીમના 26 મા અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા અફઘાનિસ્તાનના નિમરોઝ, હેલુમંદ અને કંદહાર પ્રાંતમાંથી તાલિબાન હેઠળ કામ કરે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, “અહેવાલો અનુસાર આ સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 સભ્યો છે. એક્યુઆઈએસનો હાલનો માસ્ટર માઇન્ડ ઓસામા મહેમૂદ છે … જેઓ હત્યા કરાયેલા અસીમ ઓમરની જગ્યા લે છે… એવા અહેવાલો છે કે એક્યુઆઈએસ તેના પૂર્વ માર્ગદર્શકની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં બદલો લેવાની કાવતરું ઘડી રહ્યો છે.[:]