[:gj]ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે [:]

[:gj]204 કેદીઓમાંથી, 120 લોકોએ સ્વીકાર્યું છે કે પોલીસ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ધમકી આપવામાં આવી હતી. આ અત્યંત ગંભીર સ્થિતી બતાવે છે.

આ અધ્યયન સાથે સંકળાયેલાં 80 ટકા કેદીઓએ સ્વીકાર્યું કે પોલીસ કસ્ટડીમાં ત્રાસ સહન કરવો પડ્યો હતો.

પોલીસ દ્વારા ત્રાસ આપવાની પદ્ધતિઓ અમાનવીય, અપમાનજનક અને શારીરિક અને માનસિક ત્રાસદાયક જણાઈ છે. જેનાથી જેણે કેદીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર કરી છે.

કલામ નામના કેદીએ કબૂલાત કરી હતી કે, સહ આરોપીના નિવેદનોના આધારે ઓક્ટોબર 2000માં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) ની કલમ 31 એ હેઠળ ફાંસીની સજા ફટકારી હતી.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો

મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે

મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ વધું

ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાનું સ્પષ્ટ ચિત્ર

[:]