[:gj]શિયાળામાં 4 મહિના બંધ રહેતા માર્ગના સ્થાને નવો માર્ગ બની જતાં હવે 12 મહિના કારગીર સુધી જઈ શકાશે, યુદ્ધ પછીના 20 વર્ષનું સ્વપ્ન સાકાર થયું[:]

[:gj]કારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે જોયેલું સપ્ન, 20 વર્ષની સતત મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદ્દાખને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસની નીચેથી નીકળતી સુરંગ શરૂ થતાં જ લદાખ પહોંચવાનો ટૂંકી રસ્તો પણ ખુલશે. આ માર્ગ મનાલીથી દાર્ચા, હિમાચલના શિંકુલા પાસ થઈને લદાખની ઝાંસ્કર ખીણથી આગળ વધશે. આ રૂટ પર ઓછી હિમવર્ષા થાય છે. તેથી લેહ અને કારગિલ તરફનો માર્ગ ભારે બરફવર્ષામાં પણ ખુલ્લો રહેશે.

હમણાં સુધી, કારગિલ અથવા લેહ સુધી પહોંચવા માટે માત્ર બે જ માર્ગો હતા. એક રસ્તો શ્રીનગરથી ઝોઝીલા પાસને પસાર કરીને કારગીલ અને લેહ સુધી પહોંચવાનો છે અને બીજી રીતે મનાલીથી લેહ સુધી રોહતાંગ, લાચુંગ લા, બરાલાચલા અને તાંગલાંગ લા થઈને કારગિલ જવાનો છે. પરંતુ બંને માર્ગો વર્ષના કેટલાક મહિના ભારે બરફવર્ષાને કારણે બંધ છે. આ રસ્તા ઉપર આવતા એક જ શિંગુલા ઉપર ટનલ બનાવવાનું કામ ત્રણ વર્ષનો સમય વીતી જશે. પરંતુ આ ટનલ બને તે પહેલાં જ આ માર્ગ લદ્દાખનો ત્રીજો માર્ગ બનવા માટે તૈયાર છે.[:]