[:gj]બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે[:]

[:gj]મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ  કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે.

પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્બ્યુલન્સની મળે છે તેમ પ્રાપ્ત થશે. જેના કારણે મુંગા પશુઓને પણ હવેથી તાત્કાલિક સારવાર સહાય ઉપલબ્ધ થશે.[:]