[:gj]નોકરી અપાવવા 80 હજાર કંપનીઓએ સરકાર પાસેથી 300 કરોડ ખંખેર્યા [:]

[:gj]દેશની 80 હજાર એવી કંપનીઓ છે જેમણે વ્યવસ્થાના બહાને કેન્દ્ર સરકાર પાસેથી રૂ.300 કરોડ ખંંખેરી લીધા છે. જેમાં ગુજરાતની સારી એવી કંપનીઓએ જુના કર્મચારઓને નવા બતાવી નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને છેતરી છે.

આ કંપનીઓએ નવી નોકરીઓ ઉભી કરવા ચલાવાઇ રહેલી યોજના હેઠળ સરકાર પાસેથી નાણાંકીય પ્રોત્સાહન મેળવ્યુ હતું. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય) હેઠળ લગભગ દસલાખ લાભાર્થી એવા મળ્યા છે જે તેના માટે હકદાર નહોતા. આ લોકો યોજનાની શરૂઆત થઇ તે પહેલાથી જ સંગઠીત અર્થવ્યવસ્થાનો ભાગ હતા. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ આ કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતાઓમાં લેવડ દેવડ પર પ્રતીબંધ મુકયો છે. દસ્તાવેજો અનુસાર, ઇપીએફઓ પહેલાજ આ કર્મચારીઓ પાસેથી રૂ.222 કરોડ રૂપિયા વસુલી ચુકયું છે.

આ યોજનાનો ઉદેશ કંપનીઓને બેરોજગારોને નોકરી આપવા અને  પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના ઓગસ્ટ ર૦૧૬માં લાગુ થઇ હતી અને તે ૧ એપ્રીલ ર૦૧૬થી નોકરીમાં રાખવામાં આવેલા નવા કર્મચારીઓ માટે હતી.

પીએમઆરપીવાય યોજના દ્વારા કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કર્મચારીની ભવિષ્ય નીધીની રકમમાં નોકરી દાતાનો ભાગ ચુકવે છે. અત્યારે કર્મચારીના પગારમાંથી ર૪ ટકા રકમ પીએફમાં જાય છે. તેમાંથી અડધો હિસ્સો નોકરીદાતા અને અડધો કર્મચારીનો હોય છે. ૧પ હજાર સુધીનો માસિક પગાર મેળવનાર કર્મચારી માટે આ ફરજીયાત છે. આયોજનાની મહત્વ પૂર્ણ શરત એ છે કે કંપનીઓને ત્યારેજ સરકારની નાણાકીય મદદ મળશે જયારે તે એવા કર્મચારીઓને નોકરી પર રાખશે જે પહેલા ઇપીએફઓમાં ન હોય પણ જુલાઇ ર૦૧૯ સુધીમાં લગભગ ૮૦ હજાર કંપનીઓના ૮ લાખ ૯૮ હજાર પ૭૬ એવા કર્મચારીઓ જોવા મળ્યા જેમના પહેલાથી જ ઇપીએફઓમાં ખાતા ખુલેલા હતા.[:]