[:gj]અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટાફ નથી[:]

[:gj]દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્ટાફને મુકવામાં આવ્યો છે. ગઝબ કહેવાય ને, કરોડો રૂપિયાનું દાન કરી શકાય છે પણ મેડીકલનો સ્ટાફ નથી મળતો.

દેશ કોરોનો સામે જંગ લડી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું છે. વડા પ્રધાને આ જંગમાં લડવા માટે PM CARES FUNDમાં અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશને રૂ. 100 કરોડ , ગુજરાતના મુખ્ય પ્રધાનના રાહત નિધિ ફંડમાં રૂ. પાંચ કરોડ અને મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ફંડમાં રૂ. એક કરોડનું દાન આપ્યું છે.

આ ઉપરાંત, દેશમાં અદાણી ફાઉન્ડેશન સામાજિક રીતે પણ સહાય કરશે એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશન કોરોના સામેના જંગમાં નીચેની સામાજિક પ્રવૃત્તિઓ કરશે…

અમદાવાદની SVP હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓ અને ડોક્ટરો માટે વ્યક્તિગત સુરક્ષા કિટ આપવાનું પણ ફાઉન્ડેશને નિર્ણય કર્યો છે.
ફાઉન્ડેશન દ્વારા ઝારખંડના ગોડાના જિલ્લા વહાવટી તંત્રને એક લાખ માસ્ક મફત આપવામાં આવશે. આ માસ્ક અદાણી જૂથની ફૂલો જાનો સક્ષમ આજીવિકા સખી મંડળ (PJSASM)ની 100 મહિલા દ્વારા તૈયાર કરવામાં આવશે.
વળી, છત્તીસગઢના સુરગુજામાં અદાણી ફાઉન્ડેશનની મહિલા ઉદ્યમી બહુદ્દેશીય સહકારી સમિતિ 15,000 માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ માસ્કની વહેંચણી 10 ગામોમાં હેન્ડવોશની સાથે કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશનના કર્મચારીઓ મુંદ્રામાં પ્રતિ દિવસ 1000 ફૂડ પેકેટ્સ દૈનિક મજૂરી કરતા મજૂરો અને ટ્રક ડ્રાઇવર્સ માટે તૈયાર કરી રહ્યા છે
આ ઉપરાંત ફાઉન્ડેશન કેરળના વિંઝિજામમાં ઓટો રિક્શા ડ્રાઇવર્સ, ટેક્સી ડ્રાઇવર્સ અને પોલીસ કર્મચારીઓને માસ્કનું વિતરણ કરશે. આ ઉપરાંત ફાઉન્ડેશને અહીંના વિવિધ સ્થળોએ હેન્ડવોશિંગ સ્ટેશનનો પણ સ્થાપ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ગૌતમ અદાણીને વધુ એક મોટો કોન્ટ્રાક્ટ અપાયો છે અને તેના પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હસ્તાક્ષર કર્યા છે, અમદાવાદ, લખનઉ અને મેંગલુરૂ સહિતના ત્રણ મોટા એરપોર્ટ અદાણી ગ્રુપને 50 વર્ષ માટે આપી દેવાયા છે, તેનો તમામ વહીવટ હવે અદાણી કરશે, ત્રણેય એરપોર્ટને ડેવલપ કરવાનું કામ અદાણી ગ્રુપને અપાયું છે, ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને સરકાર સાથે એગ્રીમેન્ટ થઇ ગયા હોવાની માહિતી આપી છે.

લખનઉ અને અમદાવાદ એરપોર્ટને અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને મેંગલુરૂ એરપોર્ટ માટે અદાણી મેંગલુરૂ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.કંપની ડેવલપ કરશે, સરકારે દેશમાં એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યાં હતા, 32 ટેન્ડરની બીડ આવી હતી, જેમાંથી અદાણીને ત્રણ એરપોર્ટની ફાળવણી કરાઇ છે, જો કે કોંગ્રેસના નેતાઓ અને કેટલાર સંગઠનો એરપોર્ટ અદાણીને આપવાનો વિરોધ કરી રહ્યાં છે, અગાઉ જ્યારે અદાણીને ત્રણ ટેન્ડરની બીડ મળી હતી ત્યારે પણ વિરોધ થયો હતો, જો કે આ બધાની વચ્ચે ફાઇનલ એગ્રીમેન્ટ થઇ ગયા છે.

 [:]