Tag: Crime Branch
ભિલોડા અને માલપુર નજીક એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ
ભિલોડા, તા.૧૮ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામના અભાવે ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. "બસની મુસાફરી સલામતીની સવારી"ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડ...
સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ
અમિત કાઉપર ગાધીનગર,તા::18
જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે.
રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયે...
રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો
અમદાવાદ
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...
જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં
જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...
જુગારકેસમાં રૂ.8.48 લાખ ચાંઉ કરનારા પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ...
રાજકોટ,તા:૧૮ વીંછિયાના પાંચ પોલીસ કર્મચારીએ દારૂના દરોડા દરમિયાન રૂ.8.48 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓની ઠગાઈ સામે આવતાં પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીંછિયાના હેડ કોન્સ્ટેબલ વલ્લભ જાપડિયાએ અન્ય 4 પોલીસ કર્મચારીઓ સાથે કંધેવાળિયા ગામે 10 સપ્ટેમ્બરે જુગાર મુદ્દે દરોડો પાડ્યો હતો, જેમાં 9 શખ્સો રૂ.8...
નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...
અમદાવાદ,તા.17
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ...
પ્રાંતિજમાં મકાનમાં શોર્ટસર્કિટથી આગ, ઘરવખરી બળીનેખાખ
પ્રાંતિજ, તા.૧૭
પ્રાંતિજ નાની ભાગોળ રાવળ વાસમાં એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી અને આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નાની ભાગોળમાં રાવળ વાસમાં રહેતાં રાવળ શંકર ભાઇ પુંજાભાઇના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગતા આજુ બાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. ...
જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોનો સખત પણે અમલઃ હજારોનો દંડ વસૂલાયો
જામનગર તા. ૧૭ઃ
જામનગર શહેર તથા રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી ટ્રાફિકના કડક નિયમો વચ્ચે આજે સવારથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગરના ડીકેવી સર્કલ, સરૃ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, પવનચક્કી, દરબારગઢ બહારનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પોલી...
ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તબીબીને શંકાસ્પદ કોંગો ફિવરથી હાહાકાર
ભાવનગર,તા.17
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય ...
એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત
જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
રતિભાઈ ગ...
સાત યુનિટોમાં મચ્છરો મળતા સીલ કરાયા
અમદાવાદ,તા.૧૬
શહેરમાં વધતા જતા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અમપા દ્વારા સોમવારે શહેરના સાત ઝોનમાં ૧૪૯ એકમોમાં તપાસ કરાઈ હતી.જે દરમિયાન ૪૯ એકમોને નોટીસ આપી સાત યુનિટોને સીલ કરાયા છે.રૂપિયા ૧.૪૦ લાખનો દંડ વસુલ કરાયો છે.નારણપુરાના મનોરમા પાર્ટી પ્લોટ,ખાડિયાના સુમેલ બિઝનેસ પાર્ક,ચાંદખેડાના સેન્ટ્રલ સ્કેવર સાઈટ,નરોડામાં મંગળજી સ્ક્રેપ કોર્પોરેશન,...
સિરિયલ કિલરે 10 લૂંટ કબૂલી, ચોપડે એકપણ નોંધાઈ નથી
અમદાવાદ, તા.16
વર્ષ 2016થી પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતા સિરિયલ કિલર મદન નાયકે સીઆઈડી ક્રાઈમ સમક્ષ ત્રણ હત્યા સિવાયના ફક્ત લૂંટ કરી હોય તેવા 10 ગુનાઓ કબૂલ્યા છે. હત્યારાએ કબૂલ કરેલા ગુનાઓ પૈકીનો એકપણ ગુનો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલો મળ્યો નથી.
સવા ત્રણ મહિનાના ગાળામાં લૂંટ સમયે પ્રતિકાર કરનારા ત્રણ લોકોના માથામાં પાછળથી ગોળી મારી દેનારા મદ...
ઉસ્માનપુરામાં લુખ્ખા તત્વોના આતંક અને સામે વાડજ પોલીસની ખુંચે તેવી નિષ...
અમદાવાદ, તા.16
સપ્તાહ અગાઉના રવિવારની મોડી રાતે નશામાં ધૂત થઈને ઉસ્માનપુરા વિસ્તારમાં રોડ પર કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કોઈપણ કારણ વિના રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાંખી તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પર કુહાડીના પ્રહાર કરી લુખ્ખા તત્વોએ ભયભીત કરી દીધા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશન ગયેલા યુવકની ફરિયાદ નોંધવાના બદલે માત્ર...
મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...
અમદાવાદ,તા. 16
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...
આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ
અમદાવાદ,તા:16 આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. ...