Monday, June 2, 2025

Tag: Crime-court

અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ

અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...

યુવતિના મંગેતરે ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાની કબૂલતા કરી

પોરબંદર,તા.27   પાંચેક દિવસ પહેલા દરિયાકાંઠે રેતીમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાભશંકરભાઇ જોષીની પુત્રી રિમાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે મરનાર  રીમા સાથે સગાઇ  બાદ મંગતેર નિરવ થાનકીએ અવારનવાર ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો અને હત્યાનો કર્યાના કબૂલાત કરી હતી..ગત ૨૩ ઓક્ટોબરના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દીરાનગર બાવળની કાટ પાછળ ...

પાલનપુરમાં પ્રેમિકા પૈસા લઇ ભાગી જતાં વિરહમાં પ્રેમી યુવકે ઝેર ઘોળ્યું...

પાલનપુર, તા.૨૬ શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમિકાના વિરહમાં ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં દસ વર્ષથી લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતી છોડીને ચાલી જતાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ધંધાર્થે સુરત સ્થાયી...

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ખાળકૂવો ધસી પડતાં યુવકનું મોત

હિંમતનગર, તા.૨૫ હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે બપોરે એક એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાના ખોદકામ દરમિયાન બાજુનો ખાળકૂવો ધસી પડતા યુવકનુ દટાઇ જવાને કારણે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. સહકારીજીન વિસ્તારમાં ગુરૂવારે સવારે શ્રીરાજ એપાર્ટમેન્ટ આગળ નવા ખાળકૂવાનુ ખોદકામ ચાલુ કરાયુ હતુ. અનિલ બાબુભાઇ...

મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો અમલ કેટલો થયો તેની વિગતો રજૂ કરવા હાઈકોર્...

અમદાવાદ, તા. 22  શહેરના વિશાલા સર્કલ પાસે ટાંકીમાં પડી જતાં બે કામદારોના થયેલા મોત મામલે સરકારે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નો અહેવાલ વડી અદાલતમાં રજૂ કર્યો હતો. જે સંદર્ભે અદાલતે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો યોગ્ય રીતે અમલ કેટલો થયો તે જણાવવા આદેશ કર્યો છે. અને આ કેસની વધુ સુનાવણી 11 નવેમ્બર મુકરર કરી છે. આ કેસની વિગતો એવી છે કે, વિશાલા સર્કલ પા...

ટેમ્પાને ઓવરટેક કરવા જતાં લકઝરી ચાલકે ટ્રેલરને અથડાવી, 3ના મોત

થરાદ, તા.૨૨  થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સુરતથી રવિવારે ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...

અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રા...

બે સગી બહેનો પર દુષ્કર્મ આચરી અન્યને વેચનારને 10 વર્ષની કેદ

મહેસાણા, તા.૧૯ 3 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાની એક જ પરિવારની બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બેથી વધુ જગ્યાએ પૈસા લઇ વેચી મારનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુરના જીતેન્દ્ર ઉર્ફે લાલાજી ઠાકોરને શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. ગત 2 જૂન, 2016ના મજૂરીએથી પરત ફરેલા શ્રમિકે ઘરે બે સગીર પુત્રીઓના જ...

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સ્કૂલ બસ પલટી ખાઇ ગઇઃ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા જ્યારે અન્યનો ચમ...

અમરેલી,તા.18 અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન ફુલઝર ગામ નજીક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થતાં વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઘાયલ બાળકોને ખાનગી દવાખાનામાં ...

ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?

ગાંધીનગર,તા:20 ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા, દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ, રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી, કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...

પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું ...

અમરેલી,તા:૧૮ અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા ...

કંસારી આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કચેરીમાં જ ગળે ફાંસો ખ...

ડીસા, તા.૧૭ ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમા...

અપશબ્દો બોલી કુહાડી અને પાવડા વડે મારમારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નો...

થરાદ, તા.૧૬ આપણી જૂની કહેવત છેકે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, જે થરાદના વાઘાસણ ગામમાં સાચી ઠરી છે. એકજ પરિવારના સભ્યોની વચ્ચે ઘરની માંગણી સાથે કુહાડી અને પાવડા ઉછળતા લોહિયાળ જંગના ગુના સાથે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રેના બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના વાઘાસણ ગામના રમેશભાઈ ભાંણાભાઈ પ્રજાપતિ શનિવારના ઘરે હાજર હતા. આ વખતે પિતરાઈ ગ...