Tag: Crime-court
પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...
પાટણ, તા.૧૭
ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત
રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી.
ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...
પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી
ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી
શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા
કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો
અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...
ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું
ડીસા, તા.૧૪
દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...
મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...
રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો. યુવતિ સામે પગલા લેવા માંગણી કરી ...
આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરનાર પત્ની અને ભત્રીજાની ધરપકડ
ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે. બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ સરવૈયાની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. સરવૈયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં...
ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત
હારિજ, તા.૧૨
હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...
દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભ...
મહેસાણા, તા.૧૩
વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ ...
જોડિયા નજીક બેફામ દોડતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં દંપતીનું મોત...
જામનગર,તા.13 જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકનેટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરતફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોક રાજ્ય ધોરી માર્ગ હોય કે ...
નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું
પાલનપુર, તા.૧૦
થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે.
થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...
કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી ...
થરા, તા.૦૯
કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર...
108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત
રાજકોટઃતા:૦૯108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી...
સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
એક વર્ષ પહેલાં પણ જૂની અદાવતમાં સાયલામાં આ બંને જૂથ દ્વારા અથડામણ સર્જાઈ હતી, જે...
મિલકતના ઝઘડામાં દિયરે ભાભીની હત્યા કરી
રાજકોટ,તા:૦૮ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા-3માં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઘટી. જેમાં દિયર ચમનભાઈ સરધરાએ ભાભી ભારતીબહેનની હત્યા કરી દીધી.
ભારતીબહેનના પતિ ઉમેશભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ ભાઈ અને બે બહેનો પૈકી ચમનભાઈ સરધરાએ ભારતીબહેન સ્વાધ્યાયમાં જતાં હતાં તે દરમિયાન આંતરીને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. ઉમેશભાઈન...
સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.