Tag: Farmers
માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે
હિંમતનગર, તા.૦૭
પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...
ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...
બગસરા,તા.૦૭
ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...
દીપડાના ત્રાસના પગલે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી
અમરેલી,તા:૦૬
અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે.
દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન...
માણાવદરમાં કમોસમી વરસાદને કારણે જીનિંગમાં પડેલો કપાસ અને ખુ્લ્લામાં પડ...
માણાવદર તા,૪
માણાવદરમાં વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી. જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલો હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બ...
ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ
હિંમતનગર, તા.૦૫
2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...
બનાસકાંઠામાં 3.16 લાખ હેક્ટર વાવેતર પૈકી 39 હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ...
પાલનપુર, તા.૦૫
જિલ્લાના 14 તાલુકાના 443 અસરગ્રસ્ત ગામોમાં 69 ગ્રામ સેવકોની ટીમો દ્વારા જુદા જુદા 13,182 ખેડૂતોનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 3.16 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 39 હજાર હેકટર વાવેતર વિસ્તારને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જિલ્લામાં સહુથી વધુ ડીસામાં 3200 ખેડૂતોને અસર થઈ હોવાનું તેમજ સહુથી ઓછા...
માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો
મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...
પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારન...
ગાંધીનગર, તા. 03
રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધ...
વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરતી વિમા કંપનીઓ
અમદાવાદ,તા:04
ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને 3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે. તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના...
પાટડીના અગરિયાઓ પણ વરસાદને કારણે પરત ફર્યાઃ પડતા પર પાટુ જેવો ઘાટ સર્...
સુરેન્દ્રનગર,તા.03 રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ હાલમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો પાયમાલ કર્યા જ છે સાથેસાથેઅ્ય કેટલાંય વ્યવસાયોને અસર કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તબાહી સર્જાઇ છે જેમાં અગરિયાઓને પણ ભારે માર પડી રહ્યો છે. તેમજ વાવઝોડાની આગાહી ને...
સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ
હિંમતનગર, તા.01
બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે
ગાંધીનગર, તા. 31
રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...
કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)
અમદાવાદ, તા. 26
ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે.
આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્...
અલ્પેશ ઠાકોરની કાદવના કમળમાં રાજકીય હાર, હાર્દિક પટેલ પરિપક્વ નિકળ્યા,...
ગાંધીનગર : ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તો તેમનો ઝભ્ભો પકડીન...