Tag: Farmers
હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક
હિંમતનગર, તા.22
હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...
બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે
ગાંધીનગર, તા. 18
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે.
કેમ કરી બ્લે...
લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે
ગાંધીનગર, તા. 17
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...
પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો
ગાંધીનગર, તા.૧૭
પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો
દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા
મહેસાણા, તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...
લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે
ગાંધીનગર, તા. 17
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ
હિંમતનગર, તા.૧૩
મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. શનિવાર અને રવિવાર સવારે મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અ...
મગફળી કૌભાંડ બાદ હવે સરકાર તકેદારી રાખીને રજીસ્ટ્રેશન થયેલા ફોર્મની ચક...
રાજકોટ તા. ૧ર
મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિ...
કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી ...
થરા, તા.૦૯
કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર...
સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.
હાલમાં સ્થિતિ એવી છે...
મગફળીના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો ખુશખુશાલ
રાજકોટ,તા.04
જેની રાહ જોવાતી હતી તેવી મગફળી માર્કેટમાં આવવા માંડી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવી મગફળીનો ભાવ એક મણે 1400થી 1500 સુધીનો બોલાયો હતો. આટલો ભાવ મળતા મગફળી વેચનારા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા નક્કી કર્યા...
અરવલ્લીના શિકા ગામના ખેડુતો પાક વીમાથી વંચીત રહેતા સુત્રોચ્ચારો કર્યા ...
અરવલ્લી, તા.04
પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા જોવા મળે છે. ખેડૂતોનો પાક જો નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો ...
ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે
ગાંધીનગર, તા.૦૩
ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે, પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.
રાજ્યમાં ખેતી...
જૂનાગઢમાં પાકને નુકસાનીનો તાત્કાલિક સરવૅ કરવા કોંગ્રેસની માગણી
જૂનાગઢ,૦૩ સારા પાકની આશા બાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક અથવા અડધો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતની મહેનત અને નાણાં પાણીમાં જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના આ નુકસાન અંગે જૂનાગઢ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક પાકના નુકસાનનો સરવૅ કરવાની માગણી કરી છે.
જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર...