Sunday, March 8, 2026

Tag: GUJARAT BJP

રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી

પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...

ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યા...

ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે.  કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળ...

એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?

ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...

સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...

લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...

સરકાર બનાવવાની ભેટ, શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યોને વધુ ૨ કરોડ અપાયા

ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે. માર્ગ અને મકાન પ્રધાન  નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રન...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...

જેલમાં જલસા કરવા કેદીએ ભાવ પત્રક જાહેર કર્યું, ડી.જે કે ડાન્સ પાર્ટી ક...

નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે. કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે ...

મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...

ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે  એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...

પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...

ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી

ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ..... જુઓ વિડિયો. https://youtu.be/bu9t...

સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત

છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...

ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ

ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...

પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...