[:gj]અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા [:]

[:gj]અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે.

અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો આપ્યા હતા.

દર વર્ષે શાસક ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રૂ.400થી 1000 કરોડના કામોની જાહેરાત કરી દે છે.

ભાજપાએ 2006-7માં રૂ.1700ર કરોડનું અંદાજપત્ર બનાવ્યું પણ કદ ઘટાડી રૂ.1250 કરોડ કરવામાં આવ્યું હતું. પણ ખરેખર કામ તો રૂ.1140 કરોડના થયા હતા. જેમાં 10 ટકા અધિકારીઓ અને 10 ટકા રાજકીય વ્યક્તિઓનું કટકી કૌભાંડ હોય છે.

પાણી, ડ્રેનેજ, આરોગ્ય, લાઈટ, જાહેર પરિવહન, ટ્રાફિક, શિક્ષણ, સ્વચ્છતા આપી શકતાં નથી. અમદાવાદ ધૂળિયુ બની ગયું છે. નાગરિકો તૂટેલા રોડ, વરસાદી પાણીનો ભરાવો, અંધારપટ, રોગચાળો, પ્રદૂષિત પાણી, ગટરના પાણી ઉભરાવવા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે.

2008-09માં ઈસનપુર અને સૈજપુર તળાવના વિકાસ માટે રૂ.11.45 કરોડ ફાળવ્યા હતા. શું થયું ? સાબરમતી પાવર હાઉસથી હવાઈ મથકને જોડતો રિવરસ નદી પર પૂલ બનાવવા માટે રૂ.10 કોરડ ફાળવ્યા હતા. કંઈ ન કર્યું .

સાબરમતી નદી શુદ્ધિકરણ માટે પણ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.5 હજાર કરોડ ફાળવેલાં છે શુદ્ધિકરણના નામે શૂન્ય છે.

2005થી 2019 સુધીમાં અમદાવાદમાં મૂવિંગ ટાવર, નાઈટ સફારી, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો વિકાસ, પૂર્વ વિસ્તારમાં એક હજાર બેડની  હોસ્પિટલ, શાહીબાગ અન્ડરપાસમાં વધારાની પાંખ, ચીમન પટેલ બ્રિજમાં વધારાની પાંખ, લાલ દરવાજા ટર્મિનસ ડેવલોપમેન્ટ, ઓનલાઈન ક્વોલિટી મીટર, નહેરુનગર થ્રી લેયર, જલારામ મંદિર પાસે થ્રી લેયર ફ્લાય ઓવર, પાંજરાપોળ-સીએન. વિદ્યાલય ફ્લાય ઓવર, સિટી પીકનિક પોઈન્ટ, વીજળીઘરથી કાલુપુર એલિવેટેડ કોરીડોર, ડિઝાઈન સેલની રચના, પાંચ ફૂટ ઓવર બ્રિજ સહિતની અનેક જાહેરાતો ભાજપે કરી હતી. એક પણ ન થયું.

30 વર્ષમાં ભાજપે પ્રજાને આપેલા રૂ.20 હજાર કરોડના કામો કર્યા નથી. માત્ર ચૂંટણી જીતવા માટે અમદાવાદની પ્રજાને હવાઈ વાતોથી બનાવી છે. તેના માટે સૌથી કોઈ જવાબદાર હોય તો તે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેઓ અમપાનો પક્ષ તરફથી હવાલો મુખ્ય પ્રધાન ન હતા ત્યારથી 1986થી સંભાળી રહ્યાં હતા. હવે વડાપ્રધાન બન્યા તો પણ અમદાવાદને તેમણે આપેલા વચનો પૂરા કરાવતાં નથી. બીજા નંબર પર જવાબદાર ખજાનચી પ્રહલાદ પટેલ અને સુરેન્દ્ર પટેલ છે. તેઓ અહીંથી ભાજપ માટે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ જાય છે પણ અમદાવાદને રહેવા લાયક શહેર બનાવી શક્યા નથી. એમ લોકો સ્પષ્ટ પણે માની રહ્યાં છે. 2017 અને 2019માં અમિત શાહે અમદાવાદમાં રસ્તાઓ સારા બની જશે એવું ચૂંટણી વચન આપ્યું પણ અમદાવાદ તો ખાડા બાદ જ રહ્યાં છે. અહીં ચારે બાજુ ધૂળ છે. રણ જેવી હાલત અમદાવાદની છે,[:]