[:gj]ખેડૂતોની આત્મહત્યા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂતને જ દેવું ભરી જવા નોટિસ ફટકારી [:]

[:gj]

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી 2017માં ચોમાસામાં પુર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયુ હતું, તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસુલ કરવામાં આવ્યું હતું. પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નાણા ચુકવવામાં આવેલાં ન હતાં. આ વર્ષે 2018માં પણ તમામ ખેડતોનો પાક નિષ્ફળ ગયો છે.
નવા વર્ષની શરૂઆતમાં પાણશીણા SBI દ્વારા ખેડૂતોને પાક ઘીરાણ 15 દિવસમાં ભરી જવા નોટિસ આપી છે. ખરેખર તો તે માફ કરવી જોઈએ. પાક વીમાનું  પ્રિમિયમ લેવામાં આવ્યું હતું. ખેડૂતોએ પ્રિમિયમ ભર્યું હોવા છતાં વળતર અપાવામાં આવ્યું નથી. વીમા કંપની દ્વારા કોઈ પોલીસી આપવામાં આવી ન હતી.
વીમો લીધો હોવા છતાં લોન ન ભરી શકતા બેંક દ્વારા ખેડૂતોને નોટિસ ફટકારી છે. ગુજરાત જીરો સરકારે ઝીરો ટકાએ લોન આપવાની જોગવાઈ કરી છે. બેંકો દ્વારા ઉંચા વ્યાજે નાણા ભરપાઈ કરવા ખેડૂતોને મજબુરવા  કરાયા છે.  એડવોકેટ રોકીને ખેડૂતોને નોટિસ આપવામાં આવી હોવાનું કિસાન ક્રાંતિ સંગઠનના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલી નોટિસમા પણ ભેદભાવ રાખવામાં આવ્યો છે. કિસાન ક્રાંતિના નેતા ભરતસિંહ ઝાલા આ વિસ્તારના એડવોકેટ દ્વારા નોટિસ આપી છે અને બીજા ખેડૂતોને બેંક દ્વારા નોટિસ આપી છે.
ભરતસિંહ ઝાલાએ ખેડૂતોને પુરતું વળતર ન આપવામાં આવતું હોવાથી સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરીને જીત અપાવી હતી તેથી સરકારે તેમને પરેશાન કરવા માટે એડવોકેટ દ્વારા નોટિસ ફટકારી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાકઘીરાણ માફ કરવા કે પ્રઘાન મંત્રી ફસલ વીમા યોજનામાં નુકસાન થયું હોય તો પણ આર્થિક મદદ કરવામાં આવતી નથી. તે અંગે ગુજરાત સરકારે કૃષિ નીતિ બનાવી નથી. કૃષિ નીતિ બનાવવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હોવા છતાં હજુસુધી રૂપાણી સરકારે નીતિ બનાવી નથી. ભરતસિંહ ઝાલાએ ભાજપની સરકારને ફરજ પડી હોવાથી તેમને જ એડવોકેટ દ્વારા નોટિસ આપી બદલો લેવામાં આવ્યો હોવાનો આરોપ તેમણે મૂક્યો છે.
ભરતસિંહની અરજીના આધારે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં ખેડૂતોના આપઘાત અટકાવવામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભરતસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ખંભલાવ ગામના ખેડૂત છે. આ ગામમાં 2016માં અછત, 2017માં અતિવૃષ્ટિ અને 2018મા અછત-દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ખેડૂતોને આપઘાત કરવા માટે પ્રેરિત કરતી બેંકો દ્વારા કેમ ઉંચા વ્યાજે નાણા ભરપાઈ કરવા મજબુર કર્યા? એવો સવાલ ભરતસિંહે ઊભો કર્યો છે.
સરકારે વળતળ આપવા માટે જાહેર કરી હતી, પરંતુ  વીમા કંપની કે બેંક દ્વારા કોઈ રાહત તો મળી પણ નોટીસ મળી છે. તેમની લોન રૂ.2 લાખ જેટલી હતી. શૂન્ય ટકા વ્યાજે નાણાં આપવા માટે સરકારે જાહેરાત કરી હોવા છતાં ઊંચુ વ્યાજ લેવાય છે.
ખેતરોમાં સિંચાઈનું પાણી આપયું નહીં. નુકસાન થયું તેનુ પુરૂ વળતર ચુકવવામાં આવેલું નથી, ઉભા પાક નિષ્ફળ ગયા છે, ખેડૂતો ને જીવન નિર્વાહ ખર્ચ કરવામાં મુશકેલી ઉભી થઇ છે, ત્યારે આ નોટીસ પાઠવી તે ગેર બંધારણીય છે. એવો આરોપ તેમણે મૂક્યો છે.

[:]